યુધ્ધના સંકટ વચ્ચે ભારતીય એરલાઇન્સને સરકારે આપી રાહત
એટીએફના ભાવ સ્થિર રાખવા કેન્દ્રીય કેબિનેટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને રૂા.૧૦ હજાર કરોડની મદદને મંજૂરી આપી
કેન્દ્ર સરકારે ઓઇલ માર્કેટિગ કંપનીઓ માટે સંકટના સમયમાં રૂ. ૧૦,૦૦૦ કરોડની જંગી બજેટરી સહાયને મંજૂરી આપી છે તેનો હેતુ પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે ઉદ્ભવતા પડકારો વચ્ચે ભારતીય એરલાઇન્સને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે અઝઋ (ઉડ્ડયન બળતણ)ના ભાવમાં સ્થિરતા પ્રદાન કરવાનો છે.
આ પણ વાંચો: દેશનું સૌપ્રથમ `સર્વિસ કમિશનરેટ’ ગુજરાતમાં સ્થપાશે, સરકારનો નિર્ણય
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટની બેઠકમાં આ નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે આ બજેટરી સહાય પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ભારતીય એરલાઇન્સ માટે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે ઇંધણના ભાવમાં વધારા વચ્ચે એરલાઇન કંપનીઓને રાહત આપશે. અઝઋ કિમતોની સ્થિરતા માટે ઓઇલ માર્કેટિગ કંપનીઓને રૂ. ૧૦,૦૦૦ કરોડની આ સહાય વ્યાજમુક્ત રહેશે. આનાથી સુનિશ્ચિત ભારતીય એરલાઇન્સ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે સ્થિર ભાવે જેટ ફ્યુઅલ પ્રદાન કરી શકશે.
આ રાહત એવા સમયે અપાઈ છે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં અઝઋના ભાવ માર્ચમાં પ્રતિ લિટર લગભગ ૬૦.૫૦ રૂપિયાથી વધીને મે મહિનામાં લગભગ ૧૪૨ રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે. આનાથી એરલાઇન કંપનીઓ પર નાણાકીય દબાણ વધ્યું છે, કારણ કે ઇંધણ તેમના સંચાલન ખર્ચમાં આશરે ૪૦ ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે ભારે અસ્થિરતાના સમયમાં આ હિસ્સો કેટલાક કિસ્સાઓમાં ૬૦ ટકા સુધી પહોંચી જાય છે.
