ઉપલેટામાં શર્મસાર કરતી ઘટના: કૌટુંબિક ભાઈએ 12 વર્ષની માસૂમ પર નજર બગાડી, દુ*ષ્કર્મ બાદ પરિવારે ફરિયાદ કરતાં કર્યો હુમલો
ઉપલેટા પંથકમાં 12 વર્ષની સગીરા પર તેના જ કુટુંબી ભાઈએ દુષ્કર્મ ગુજાર્યું હતું આટલું જ નહીં નરાધમ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાનું મન બનાવતા, આરોપીના શેઠે પીડિતાના પિતા અને ભાઈ પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી સામાજિક બદનામી અને ડરના માર્યા ભોગ બનનારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં હાલ તે સારવાર હેઠળ છે.
આ અંગેની વિગતો મુજબ, ઉપલેટા પંથકમાં રહેતા 45 વર્ષીય શ્રમિકે 12 વર્ષની પુત્રી ઉપર દુષ્કર્મ દુષ્કૃત્ય થયું હોવાનું જણાવી ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો પરિવાર સાત વર્ષથી ખેતીકામ કરે છે. વતનમાં સામાજિક પ્રસંગે હોવાથી ફરિયાદી અને તેમના પત્ની ત્યાં ગયેલા દરમિયાન ઘરે આવતા પુત્રવધૂએ જણાવ્યું હતું કે, બાજુની વાડીએ રહેતા કૌટુંબિકના પુત્ર અને 12 વર્ષની સગીરા વાડી નજીક બેઠા હોય ત્યારે તેઓ જોઈએ જતાં આરોપી યુવક ત્યાંથી નાસી છૂટ્યો હતો.આ બાબતે પુત્રને પુછતા તેને પ્રથમ આરોપીને પસંદ કરતી હોય અને તેની સાથે લગ્ન કરવા હોવાનું જણાવ્યું હતું.
આરોપી કૌટુંબમાં થતો હોય જેથી ભોગ બનનારના પરિવારે બાજુની વાડીમાં જઈને તેના પરિવારને ફરી આવું ન કરવા સમજાવ્યું હતું. બીજા દિવસે પુત્રીએ પિતાને જણાવ્યું હતું કે, આરોપી અને આપણે કુટુંબી થાય એટલે મેં તમને સાચું કીધું ન હતું ખરેખરે આરોપીએ તેણીને મળવા બોલાવી જબરદસ્તી દુષ્કર્મ ગુજાર્યું હતું આ વાતથી પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.
જ્યારે પીડિત પરિવાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે આરોપી જેની વાડીમાં કામ કરે છે તે ભગીરથસિંહ વાળા ત્યાં દોડી આવ્યો હતો. તેણે પીડિતાના પિતા અને ભાઈને બેફામ ગાળો આપી, ચપ્પલ તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. “જો ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશ અને આ વાડી ખાલી કરીને જતા રહો” તેવી ધમકી આપતા વાતાવરણ તંગ બની ગયું હતું. આ હુમલા અને ધમકીથી ડરી ગયેલી માસૂમ દીકરીએ પાકમાં છાંટવાની ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.
ન્યાયની લડાઈમાં ગરીબ પરિવાર પર જોહુકમી ?
આશ્ચર્યની વાત એ છે કે આરોપીના શેઠ ભગીરથસિંહ વાળાએ દુષ્કર્મ જેવા કિસ્સામાં ભોગ બનનારને ન્યાય અપાવવાને બદલે પીડિત પરિવાર પર જ હુમલો કર્યો. એક તરફ 12 વર્ષની દીકરીની આબરૂ લૂંટાઈ અને બીજી તરફ પરિવારને ગામ છોડવાની ધમકી મળી.જેના કારણે માનસિક તણાવમાં આવી બાળકીએ આપઘાતનું પગલું ભર્યું.હવે જોવાનું એ રહે છે કે ભાયાવદર પોલીસ આ શખ્સો સામે કેવા કડક પગલાં ભરે છે. શું એક ગરીબ શ્રમિક પરિવારને તેમની માસૂમ દીકરી માટે ન્યાય મળશે?
