કેરલ હવે કેરલમ તરીકે ઓળખાશે: અમદાવાદ મેટ્રોનો વિસ્તાર, હવે ગિફ્ટ સિટીથી શાહપુર સુધી દોડશે,લાખો મુસાફરો માટે પરિવહન સરળ બનશે
વડાપ્રધાનના નેતૃત્વમાં સેવા તીર્થ ખાતે પ્રથમવાર કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી, જેમાં આગામી 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાના ‘સેવા સંકલ્પ’ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. જો કે કેબિનેટે અમદાવાદને મોટી ભેટ આપી હતી. મેટ્રો લાઇનના વિસ્તારને મંજૂરી અપાઈ હતી. તેમજ કેરલનું નામ બદલીને કેરલમ કરવાના પ્રસ્તાવને લીલીઝંડી અપાઈ હતી.
. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, આ બેઠક માત્ર વહીવટી પ્રક્રિયા નથી પરંતુ નવા ભારતના ભવ્ય નિર્માણનો પાયો છે. દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સ્થાન અપાવવાના લક્ષ્ય સાથે આશરે રૂપિયા 12,236 કરોડના કુલ 8 મોટા નિર્ણયો પર મહોર મારવામાં આવી છે. નાગરિકોને શક્તિ પ્રદાન કરવાને બદલે તેમને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી આ તમામ નિર્ણયો લેવાયા છે.
ગુજરાતના વિકાસને વધુ વેગ આપતા, મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો ફેઝ 2B ના વિસ્તરણ માટે રૂપિયા 1,067 કરોડની ફાળવણી કરી છે. આ મંજૂરી સાથે હવે મેટ્રો ટ્રેન ગિફ્ટ સિટીથી શાહપુર સુધી લંબાવવામાં આવશે, જે લાખો મુસાફરો માટે પરિવહન સુવિધા આસાન બનાવશે.
જમ્મુ-કાશ્મીરના પ્રવાસનને પ્રોત્સાહન
આ ઉપરાંત, જમ્મુ કાશ્મીરના પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે શ્રીનગર એરપોર્ટ પર રૂપિયા 1,667 કરોડના ખર્ચે 71,000 ચોરસ મીટરમાં ફેલાયેલું નવું અત્યાધુનિક સંકલિત ટર્મિનલ બનાવવામાં આવશે, જેનું કાર્ય આગામી 4 વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.
ખેડૂતોને રાજી કર્યા: કાચા શણના MSPમાં વધારો
કૃષિ ક્ષેત્રે ખેડૂતોના હિતમાં નિર્ણય લેતા કાચા શણ માટે એમ એમએસપીમાં વધારો કરી તેને રૂપિયા 430 કરોડના પેકેજ સાથે સુરક્ષિત કરવામાં આવી છે. મંત્રીમંડળે વીજ ક્ષેત્રમાં મોટા સુધારાઓ માટે પણ નીતિગત નિર્ણયો લીધા છે જે આગામી સમયમાં દેશમાં ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરશે. ખેડૂતોની આ ઘણા સમયથી માગણી હતી.
