બોર્ડની પરિક્ષાનું પરિણામ ‘વહેલું’? રાજયમાં 450થી વધુ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પેપરો ચકાસાશે, રાજકોટમાં 8 મૂલ્યાંકન કેન્દ્ર નક્કી
ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ ગુરુવારે શરૂ થશે તે પૂર્વે જ શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહી ચકાસણીની કામગીરી અંતર્ગત તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ વહેલું જાહેર કરવાના ભાગરૂપે આ વર્ષે મૂલ્યાંકન માટે 73 હજાર જેટલા શિક્ષકોને ઓર્ડરો કરવામાં આવ્યા છે.
જેમાં રાજકોટ શહેરમાં 8 અને જિલ્લાના 10 જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો બોર્ડની પરીક્ષા શરૂ થયાના ત્રીજા દિવસથી કાર્યરત થશે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ પણ એપ્રિલનાં અંતિમ તબક્કામાં અથવા તો મે મહિનાની શરૂઆતમાં જાહેર કરી દેવાની શક્યતાની પગલે શિક્ષણ બોર્ડ દ્વારા અલગ અલગ સેન્ટરો માટે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો અને શિક્ષકોની ફાળવણી કરવામાં આવી છે જેમાં ધોરણ 10 માટે સમગ્ર રાજ્યમાં 225 થી વધુ મધ્યસ્થ કેન્દ્રો પર 37000 શિક્ષકો દ્વારા 9 મુખ્ય અને 28 માઇનર વિષયો મળી કુલ 37 વિષયોની ઉત્તરવહી તપાસવામાં આવશે.
આ પણ વાંચો:ધો.10-12 ની પરીક્ષાનો 26મીથી પ્રારંભ: કાલે વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા જોઈ શકશે, રાજકોટ જિલ્લામાં 10 હેલ્પલાઈન સેન્ટર કાર્યરત રહેશે
જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 175 થી વધુ કેન્દ્ર પર 27000 શિક્ષકો દ્વારા 15 મુખ્ય અને 48 માઈનોર વિષયો મળી કુલ 63 વિષયોનું મૂલ્યાંકન થશે. આ ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 70 થી વધુ મધ્યસ્થ કેન્દ્ર પર 9,000 થી વધુ શિક્ષકો 6 મુખ્ય અને 13 માઇનર વિષયોની ઉત્તરવહીની ચકાસણી કરશે. રાજકોટ સહિત રાજ્યભરમાં 450 થી વધુ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર 73,000 થી વધુ શિક્ષકો જોડાશે.
લ 65 કેન્દ્રો ઉપર 80248 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
રાજકોટમાં ધોરણ 10 માં 40 કેન્દ્રો અને 182 બિલ્ડીંગ જ્યારે 1565 જેટલા બ્લોક માં 46,657. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં છ કેન્દ્રોમાં 39 બિલ્ડીંગમાં 401 બ્લોકની પારવણી થઈ છે જ્યાં 7,934 વિદ્યાર્થીઓ પોતાની મહેનતનો નિચોડ રજૂ કરશે.ધો.12 સામાન્ય પ્રવાહમાં 25,657 વિદ્યાર્થીઓ નોંધાયા છે જેમના માટે 850 બ્લોક 101 બિલ્ડીંગ અને 19 કેન્દ્રો નોંધાયા છે. ફૂલ 65 કેન્દ્રો ઉપર 80248 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.
આ પણ વાંચો:મુસાફરોના ખિસ્સા હળવા કરતી ટોળકી ઝડપાઇ: રાજકોટ બસ પોર્ટ પર પાકીટ માર ગેંગએ મોટી રકમમાં હાથ મારતા જેલના સળિયા ગાળવાનો વારો આવ્યો!
ગુરૂવારથી પરીક્ષા શરૂ થાય તે પૂર્વે આવતીકાલે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર પોતાની બેઠક વ્યવસ્થા જોવા મળશે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓ અને વાલીઓ આવતીકાલે બપોરે ત્રણ વાગ્યા બાદ કેન્દ્ર પર બ્લોક અને પોતાની બેઠક વ્યવસ્થાને જોઈ શકશે.
રાજકોટ જિલ્લામાં 10 હેલ્પલાઈન સેન્ટર કાર્યરત રહેશે
રાજકોટ જિલ્લામાં પરિક્ષાર્થીઓ માટે દસ જેટલા હેલ્પલાઇન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. ઉપલેટા, રાજકોટ,જેતપુર,ગોંડલ, કોટડા સાંગાણી, જસદણ, વિંછીયા રાજકોટ શહેર અને તાલુકો ધોરાજી, જામકંડોરણા, પડધરી અને લોધિકામાં શરૂ થયેલા હેલ્પલાઇન સેન્ટરમાં સંયોજકની નિમણુંક કરાઈ છે.
ધો.10નાં પેપર સૌરાષ્ટ્ર-કચ્છમાં વિતરણ:ધો.12 સાયન્સ અને સા.પ્ર. નાં પેપરો સ્ટ્રોંગરૂમમાં સીલ
રાજકોટની ચૌધરી હાઈસ્કૂલ ખાતે બનાવવામાં આવેલા સ્ટેટ ઝોન પરથી ધોરણ 10 ના 2.52 લાખ વિદ્યાર્થીઓના પ્રશ્નપત્ર 18 જેટલી એસટી બસમાં જીપીએસ સિસ્ટમથી સજ્જ બસ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રવાના કરાયા હતા. 18 ઝોનના પેપરો રવાના થયા બાદ ગઈકાલે રાજકોટ, ધોરાજી, જસદણ, જામનગર માટે પેપરો રવાના કરવામાં આવ્યા છે.જ્યારે ધો.12નાં પેપરો ગાંધીનગર થી આવી જતા કરણસિંહજી હાઇસ્કુલના સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા છે.
