વડાપ્રધાન મોદી ચાર દિવસના વિદેશ પ્રવાસે: જોર્ડનથી ઓમાન સુધી કૂટનીતિનો મિશન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી જોર્ડન, ઇથિયોપિયા અને ઓમાનની ચાર દિવસની મહત્વપૂર્ણ વિદેશ યાત્રા પર નીકળ્યા છે.
જોર્ડન સાથે ભારતના રાજકીય સંબંધોની 75મી જયંતિ નિમિત્તે થતી આ મુલાકાત ખાસ મહત્વ ધરાવે છે. આ ભારતના કોઈ પણ વડાપ્રધાનની જોર્ડનની પ્રથમ સત્તાવાર મુલાકાત હશે.
કિંગ અબ્દુલ્લા સેકન્ડના આમંત્રણ પર થતી આ યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગ અને પ્રાદેશિક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા થવાની શક્યતા છે.
મોદી પોતાના પ્રવાસ દરમિયાન મધ્યપૂર્વની હાલની પરિસ્થિતિ, ખાસ કરીને ઈઝરાયલ-હમાસ સંઘર્ષ, હિઝબુલ્લા, સીરીયા અને ઈઝરાયલ-ઈરાન તણાવ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.
15-16 ડિસેમ્બર જોર્ડન, 16-17 ઇથિયોપિયા અને 17-18 ડિસેમ્બર ઓમાનની મુલાકાત દરમિયાન ત્રણેય દેશોના વડાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાશે.
આ પ્રવાસ ભારતની વૈશ્વિક કૂટનીતિને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે.
