મનરેગાનું નામ બદલાયું હવે ‘પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી’ યોજના’ તરીકે ઓળખાશે
કેન્દ્ર સરકારે ગ્રામીણ ક્ષેત્રની સૌથી મોટી ફલેગશિપ યોજના મનરેગાનું નામ ઐતિહાસિક રીતે બદલતાં તેને હવે ‘પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી’ તરીકે ઓળખાવવાનો નિર્ણય કર્યો છે.
ઉપરાંત શ્રમિકોને મળતા રોજગારીના દિવસોની સંખ્યા 100થી વધારી 125 દિવસ કરવામાં આવશે, જે ગ્રામ્ય પરિવારોને વધુ આર્થિક સુરક્ષા પ્રદાન કરશે.
કેન્દ્ર સરકારે આ યોજનાને લાગુ કરવા માટે રૂ.1.51 લાખ કરોડની જોગવાઈ પણ કરી છે, જેથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બને.
