Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

SITની ચોખવટ : કોઈ શંકા ન રાખે, કોઈને છોડાશે નહી

Thu, May 30 2024

SITની ચોખવટ : અગ્નિકાંડમાં તપાસ રાઈટ ટ્રેક ઉપર છે, IAS- IPS અને પદાધિકારીઓની પણ પૂછપરછ થશે

સીટના વડા સુભાષ ત્રિવેદીએ મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પત્રકારોને આપી માહિતી -ડીજીપી પોતે સુપરવિઝન કરી રહ્યા છે
ભવિષ્યમાં આવી ઘટના ન બને એ માટેની પૂરેપૂરી સિસ્ટમ બનાવવા ગૃહમંત્રીની સુચના

રાજકોટના અગ્નિકાંડની તપાસ કરી રહેલી સીટનાં વડા સુભાષ ત્રિવેદીએ ભારપૂર્વક કહ્યું છે કે, રાજકોટની આ ઘટના ઘણી ગંભીર છે અને જે કોઈ જવાબદાર હશે તેની સામે પગલાં લેવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું હતું કે કોઈ વ્યક્તિ શંકા ન રાખે, અમે તપાસ દરમિયાન તમામ મુદ્દા અને પુરાવા એકત્ર કરીએ છીએ અને કોઈ પણ એટલે કોઈ પણ વ્યક્તિ હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પીજીવીસીએલ, રાજકોટ ફાયર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ પોલીસમાં તમામ સંબંધિત જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે SIT રિપોર્ટ પહેલા ગુજરાત સરકારે સસ્પેન્ડ કરેલા પોલીસ, મનપા અને અન્ય વિભાગના અધિકારીઓ સામે ગુનો નોંધાશે કે નહીં તેવા પ્રશ્નના ઉત્તરમાં સુભાષ ત્રિવેદીએ કહ્યું હતું કે, આ નીતિવિષયક બાબત છે.

આજે SITના વડા સાથે મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં તપાસ ક્યાં સુધી પહોંચી સહિતની વિગતો મુખ્યમંત્રીને જણાવવામાં આવી હતી અને મુખ્યમંત્રી તરફથી કેટલાક સુચનો આપવામાં આવ્યા હતા. સુભાષ ત્રિવેદીએ જણાવ્યું છેકે, જેટલો આક્રોશ અને વેદના તમને છે એટલીજ અમને પણ છે, સંપૂર્ણ તટસ્થ તપાસ થશે. અધિકારી કે પદાધિકારી તમામની પૂછપરછ કરાશે. આગામી બે દિવસમાં આઇએસ અને આઇપીએસ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જે મળ્યું છે તેનો અહેવાલ સુપ્રત કરી દીધો છે. તપાસના બીજા તબક્કામાં રાજકોટ કોર્પોરેશન, ફાયર ડિપાર્ટમેન્ટ, પોલીસ, પીજીવીસીએલ કોઇપણ માણસ આમા જવાબદાર હોય તો તેને શોધી તેના વિરુદ્ધ કડકાઇથી કાર્યવાહી કરવા માટે ગૃહમંત્રીએ સૂચના આપી છે. તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં આ પ્રકારનો કોઇપણ બનાવ ન બને એ માટેની પૂરેપૂરી સિસ્ટમ બનવી જોઇએ. તંત્રમાં જવાબદેહી કોઇપણ રીતે આપણે સ્થાપિત કરવાની છે. આમા જે કોઇ લેવલના અધિકારી કે પદાધિકારી કોઇપણ વ્યક્તિ હશે એ તમામની પૂછપરછ કરવામાં આવશે.પૂછપરછ બાદ યોગ્ય રીતે આંકલન કરીને સરકારને રિપોર્ટ કરવામાં આવશે. રાજ્ય સરકારના ઘણા બધા વિભાગો સંકળાયેલા છે. એટલે આમા તપાસ ઘણી સમય માગી લે તેમ છે.

તેમણે ઉમેર્યું કે, તપાસમાં ક્રાઇમ સંદર્ભે ડીજીપી પોતે પણ સુપરવિઝન કરી રહ્યા છે. એટલે ક્રાઇમનું પણ પ્રોપર સુપરવિઝન થશે. કોઈએ એ સમજવાની જરૂર નથી કે કોઇને છોડી દેવામાં આવશે.

કાટમાળ હટાવવા અંગે તેમણે જણાવ્યું કે, ત્રણ હજાર ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં જે માણસો ગુમ છે, જે મૃતદેહો છે, તેમના અવશેષો છે તેને શોધવાનું કામ મહત્વનું છે એ માટે આ તોડીને નાશ કરવાનો કોઇ આશય ન હતો. અંદર ગુમ થઇ ગયેલા લોકોના અવશેષો છે કે કેમ તેના આધારે આપણે ડીએનએ લઇ શકીએ. ડીએનએના આધારે એફએસએલ દ્વારા તેની તપાસ કરી જે ગુમ છે તેમના પરિવારજનોને એક અહેસાસ આપી શકીએ. એક સત્યની માહિતી આપી શકીએ. એ આશયથી થયેલ છે.

સસ્પેન્ડેડ અધિકારી સામે ગુનો નોંધવો કે નહી એ તપાસનો વિષય છે એ આધારે કાર્યવાહી થશે. 30 લિટરથી વધારે જથ્થો હોય તો મંજૂરી લેવાની હોય છે એટલે આ કિસ્સામાં રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પૂછપરછ કરવામાં આવી રહી છે. તેના આધારે પેટ્રોલિયમ એક્ટનો ઉમેરો પણ કરવામાં આવશે.

મૃતદેહો જોઇને સીટના અધિકારીઓ પણ કાંપી ઉઠ્યા હતા

સુભાષ ત્રિવેદીએ કહ્યું હતું કે, આ ઘટના કેટલી ભયંકર હતી તે ઘટનાસ્થળની મુલાકાત લીધા પછી ખ્યાલ આવતો હતો. મૃતદેહોની હાલત જોઇને તેઓ સ્તબ્ધ થઇ ગયા હતા. સીટના અન્ય અધિકારીઓની પણ એ જ હાલત હતી. તમે ખાલી વિચાર કરો કે ૩૦૦૦ ડીગ્રી તાપમાનમાં માનવશરીરની કેવી હાલત થઇ હશે. અમે માનવ શરીરના એક એક ટુકડા શોધવા માટે ઘટનાસ્થળે બુલડોઝર ચલાવ્યું હતું અને તપાસ કરી હતી. અમારી અંદર પણ એક આક્રોશ અને વેદના છે.

Share Article

Other Articles

Previous

ભાજપ એકલા હાથે 320 બેઠકો મેળવશે

Next

આજનું રાશિફળ : આ રાશિના જાતકોનો દિવસ શાંતિપૂર્વક થશે પસાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
રાજકોટના ભગવતીપરામાં નવ કલાક બંધ પડેલા ઘરમાં તસ્કરો ત્રાટક્યા, 18.95 લાખની કરી ચોરી
15 મિનિટutes પહેલા
રાજકોટના સર્વેશ્વર ચોકનું કામ હજુ એક મહિનો ચાલશેઃ વરસાદ ન પડે તો ! ઝડપથી કામ પૂરું કરવા મ્યુ.કમિશનરનો આદેશ
37 મિનિટutes પહેલા
વિસાવદરના નવા વાઘણિયા તથા માલિડા ગામે પુનઃમતદાન : બુથ કેપ્ચરિંગની ફરિયાદ બાદ આજે ફરી મતદાન શરૂ
56 મિનિટutes પહેલા
ગુજરાત અને ભારતની ગૌરવવંતી ક્ષણ : વડનગરમાં આતંરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે 2,121 લોકોએ એકસાથે ‘ભુજંગાસન’ કરી સર્જ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2202 Posts

Related Posts

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા ત્રણ દિવસ માટે આયોજિત આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં નિકાસની તકો
રાજકોટ
1 વર્ષ પહેલા
અમદાવાદમાં ઘુસણખોર બાંગ્લાદેશીઓને ભારતીય બનાવવાનું કૌભાંડ ઝડપાયું : અનેકને નાગરિકત્વ અપાવ્યાની સંભાવના
ક્રાઇમ
1 મહિના પહેલા
ગુજરાત અને ભારતની ગૌરવવંતી ક્ષણ : વડનગરમાં આતંરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે 2,121 લોકોએ એકસાથે ‘ભુજંગાસન’ કરી સર્જ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
ગુજરાત
2 કલાક પહેલા
નવરાત્રી, રામલીલા જેવા તહેવારોમાં દેશમાં કેટલો થશે વેપાર ? જુઓ
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર