આર્મીના જવાનોએ જાહેર કર્યા 3 આતંકવાદીઓના સ્કેચ, માહિતી આપનારને મળશે આટલા લાખનું ઈનામ
જમ્મુમાં ફરી એકવાર આતંકી હુમલામાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે છેલ્લા કેટલાક મહિનાઓથી આ વિસ્તારમાં શાંતિનો માહોલ હતો, પરંતુ હવે ફરી એકવાર અહીં આતંકી ઘટનાઓ વધી છે. ત્યારે આ મામલે જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં પોલીસે 3 આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ડોડાના ઉપરના વિસ્તારોમાં હાજર છે. તાજેતરમાં જ દેસા ડોડાના ઉરાર બાગી વિસ્તારમાં બનેલી આતંકવાદી ઘટનામાં સામેલ હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે દરેક આતંકવાદી વિશે માહિતી આપનારને 5 લાખ રૂપિયાનું રોકડ ઈનામ પણ જાહેર કર્યું છે.
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં 16 જુલાઈના રોજ આતંકી હુમલો થયો હતો, જેમાં એક કેપ્ટન અને અન્ય ત્રણ સેનાના જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના શેડો ગ્રુપ ‘કાશ્મીર ટાઈગર્સ’ દ્વારા લેવામાં આવી હતી. ડોડા ઉરારી બાગી વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર દરમિયાન આ ઘટના બની હતી. ફાયરિંગમાં બે જવાન પણ ઘાયલ થયા છે.
સુરક્ષાદળો આતંકીઓની શોધમાં ચલાવી રહ્યા છે સર્ચ ઓપરેશન
ડોડામાં થયેલો આતંકવાદી હુમલો એ તાજેતરના મહિનાઓમાં જમ્મુ ક્ષેત્રમાં થયેલી અનેક આતંકવાદી ઘટનાઓમાંની એક હતી. 2024 ની શરૂઆતથી, જમ્મુ પ્રાંતના છ જિલ્લામાં લગભગ એક ડઝન આતંકવાદી હુમલાઓમાં ઘણા સુરક્ષા કર્મચારીઓ અને આતંકવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળો દ્વારા અન્ય આતંકવાદીઓને ખતમ કરવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
કુપવાડામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર
જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં આતંકવાદનો સતત ખતરો ભારત સરકાર માટે મુખ્ય સુરક્ષા ચિંતાનો વિષય છે. શનિવારે જ કુપવાડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક જવાન શહીદ થયો હતો અને મેજર રેન્કના અધિકારી સહિત ચાર જવાન ઘાયલ થયા હતા. જવાનોએ એક આતંકીને પણ ઠાર કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે વા પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમનો ભાગ હતો, જેમાં પાકિસ્તાની આર્મી કમાન્ડો અને આતંકવાદીઓ સામેલ છે.