2 નવા ચુંટણી કમિશનર તરીકે કોના નામ નક્કી થયા ? વાંચો
કોણે કરી જાહેરાત ?
દેશના 2 નવા ચુંટણી કમિશનરોની નિયુક્તિને લઈને મચેલી ખેંચતાણ વચ્ચે ગુરુવારે આ મામલે નિર્ણય લેવાઈ ગયો હતો. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ મોટો દાવો કરીને એમ જાહેર કર્યું હતું કે દેશને 2 નવા ચુંટણી કમિશનર મળી ગયા છે અને તેમના નામ જ્ઞાનેશકુમાર અને સુખબિર સંધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ પર હાઇ લેવલ સમિતિની બેઠકમાં ચર્ચા બાદ આ નામ ફાઇનલ કરાયા હતા. અરુણ ગોયલે કમિશનર પદેથી એકાએક રાજીનામું આપી દીધા બાદ લોકસભાની ચુંટણી જાહેર થતાં પહેલા જ ચુંટણી પંચમાં 2 જગ્યા ખાલી થઈ હતી.
2 નવા નામ પર હાઇ લેવલની સમિતિની બેઠક ગુરુવારે સવારે મળી હતી જેમાં લાંબી ચર્ચા બાદ નવા નામ નક્કી થયા હતા. સમિતિમાં વડાપ્રધાન ઉપરાંત ગૃહમંત્રી અને વિપક્ષના નેતાનો સમાવેશ થાય છે. બેઠક પૂરી થયા બાદ બહાર નીકળીને ચૌધરીએ મીડિયાને 2 નવા નામ નક્કી થયાની જાણ કરી હતી.
જ્ઞાનેશકુમાર કેરળના છે અને સુખબિર સંધું પંજાબના છે. બંને આઇએએસ અધિકારી તરીકે કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રાલયમાં સક્રિય હતા. કમિશ્નરપદેથી અરુણ ગોવિલે અચાનક રાજીનામું આપી દીધું હતું અને ચુંટણી પંચમાં મુખ્ય ચુંટણી કમિશનર રાજીવકુમાર એકલા જ રહી ગયા હતા. લોકસભાની ચુંટણીનો કાર્યક્રમ જાહેર થવાનો બાકી છે ત્યારે જ 2 પદ ખાલી થઈ ગયા હતા. ત્યારબાદ સરકારે એવી જાહેરાત કરી હતી કે ખૂબ જલ્દી નવાનામ નક્કી કરી લેવાશે. હાઇલેવલની બેઠક માટે 14 તારીખ ફાઇનલ થઈ હતી.
આ મુદ્દે પણ રાજકીય વિવાદ ઊભો થયો હતો અને કેન્દ્રને 2 નવા કમિશનરોની નિયુક્તિ કરતાં રોકવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ થઈ હતી જેના પર 15 મી તારીખે એટલે કે આજે અદાલતમાં સુનવણી થવાની છે.