પશ્ચિમ રેલવેએ 15 ટ્રેનો કરી રદ; જાણો રી-શેડ્યૂલ અને આંશિક રદ કરાયેલી ટ્રેનોની યાદી
દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ તથા સંચાલન સંબંધિત મુશ્કેલીઓને કારણે પશ્ચિમ રેલવે દ્વારા 24 જુલાઈના રોજ 15 જેટલી મહત્વપૂર્ણ ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલીક ટ્રેનોના સમય અને રૂટમાં પણ ફેરફાર કરાયો છે.
મુંબઈ અને ગુજરાત વચ્ચેનો ટ્રેન વ્યવહાર પ્રભાવિત
ભારે વરસાદના પગલે રેલવે ટ્રેક પર પાણી ભરાવા અને સંચાલન વ્યવસ્થા ખોરવાઈ જવાને કારણે મુંબઈ, સુરત, વલસાડ, વડોદરા અને અમદાવાદ રૂટ પરની રેલ સેવાઓને સીધી અસર પહોંચી છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ કડક નિર્ણયો લીધા છે.
સંપૂર્ણપણે રદ કરાયેલી 15 ટ્રેનોની યાદી
19002 સુરત – વિરાર
22444 બાંદ્રા ટર્મિનસ – કાનપુર સેન્ટ્રલ
19011 વલસાડ – દાહોદ
22953 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ જંકશન
20959 વલસાડ – વડનગર
20901 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર રાજધાની
59049 વલસાડ – વડોદરા જંકશન
12009 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ જંકશન
12935 બાંદ્રા ટર્મિનસ – સુરત
69139 બોરીવલી – વલસાડ
59045 મુંબઈ સેન્ટ્રલ – વાપી
59024 વલસાડ – મુંબઈ સેન્ટ્રલ
19010 વિરાર – ભરૂચ જંકશન
69161 વિરાર – સુરત
59039 વિરાર – વલસાડ
આ પણ વાંચો: અલ નીનો નહીં, PDO ના લીધે ગુજરાતમાં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ!
આંશિક રીતે રદ અને શોર્ટ-ટર્મિનેટ કરાયેલી ટ્રેનો
હિસાર – વલસાડ ટ્રેન: આ ટ્રેનને મરોલી ખાતે જ રોકી દેવામાં આવી છે. તેથી મરોલી થી વલસાડ વચ્ચેનો રૂટ આંશિક રીતે રદ રહેશે.
બાંદ્રા ટર્મિનસ – ભુજ ટ્રેન: આ ટ્રેન બાંદ્રા ટર્મિનસના બદલે સુરતથી શરૂ થશે. આથી બાંદ્રા ટર્મિનસ થી સુરત વચ્ચેનો રૂટ રદ કરવામાં આવ્યો છે.
ઉધના-અયોધ્યા સ્પેશિયલ ટ્રેનનું સમયપત્રક બદલાયું
ટ્રેન નંબર 09093 (ઉધના – અયોધ્યા કેન્ટ સ્પેશિયલ): આ ટ્રેનનો ઉપડવાનો સમય બદલવામાં આવ્યો છે. જે હવે ઉધના સ્ટેશનથી પોતાના નિર્ધારિત સમય સવારે 7:25 વાગ્યાના બદલે સવારે 10:25 વાગ્યે રવાના થશે.
મુસાફરો માટે રેલવેની અપીલ
પશ્ચિમ રેલવે દ્વારા તમામ મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે ઘરેથી નીકળતા પહેલા પોતાની ટ્રેનની વર્તમાન સ્થિતિ (Live Status) અને રેલવેની અધિકૃત સૂચનાઓ અવશ્ય તપાસી લેવી, જેથી સ્ટેશન પર અગવડતાનો સામનો ન કરવો પડે.
