રાજકોટ મહાપાલિકાની ‘અક્કલ’ અને ઠેર-ઠેર ગટરના ઢાંકણા ક્યારેય ‘ઠીક’ ન થાય !! અનેક વિસ્તારોમાં ગટરના ઢાંકણા મોઢું ફાડીને ભોગ લેવા આતૂર
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં અક્ષરનગર પાસે ગટરનું ઢાંકણું સરખી રીતે બંધ નહીં હોવાને કારણે રાત્રીના સમયે અખબારી એજન્ટ ત્યાંથી પસાર થતાં અથડાઈને પટકાતાં લાંબી સારવાર દરમિયાન તેમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આવું પહેલી વખત નથી બન્યું કે જ્યારે મહાપાલિકાના પાપે કોઈ નિર્દોષ વ્યક્તિએ પોતાના પ્રાણ આપવા પડ્યા હોય. અગાઉ પણ મસમોટા ખાડામાં ખાબકવાને કારણે લોકો જાન આપી ચૂક્યા છે પરંતુ મહાપાલિકાના પેટનું પાણી હલવાનું નામ લઈ રહ્યું નથી. જ્યારે જ્યારે આવી ઘટના બને ત્યારે તપાસના આદેશ, તાત્કાલિક કાર્યવાહી સહિતના શબ્દોથી જ લોકોને ઉલ્લું બનાવવામાં આવતા હોય છે.



