પશુબલી ચડાવતા હતા ભુવા અને માનતા કરનાર ને જાથા અને પોલીસ ત્રાટકી અને પછી…
પ્રતિ વર્ષ ચૈત્ર નોમ, પુનમ, બીજ અને અમાસના દિવસે વાઓ પશુબલી અટકાવવાનું દેશવ્યાપી અભિયાન આદર્યું છે. તેના ભાગરૂપે રાજકોટ તાલુકાના બેડલા ગામની સીમમાં માતાજીના મઢે પોલીસ સાથે પહોંચતા ભવા સહિત માનતા કરનારાઓ મુઠ્ઠી વાળીને ભાગી જવામાં સફળ થયા હતા. ભુવો બોકળાનો પ્રસાદ ગાડીમાં લઈ અંધારામાં નાસી ગયો હતો. એક બોકળાની બલીના ચિહ્નો અને ૪ બોકળાને સીમમાં છોડી મુકતા મળી આવેલ ન હતા. ચૈત્ર માસમાં પશુબલીની માહિતી પુરાવા સાથે આપવા જાથાએ અપીલ કરી હતી.
આ મઢમાં દર પંદર-વીસ દિવસે પશુબલી ચડાવવામાં આવે છે. તેમાં ભુવા સહિત નામો આપવામાં આવેલ તેમાં ધનાભાઈ, કુળજીભાઈ, મુકેશભાઈ, ધર્મેશભાઈ, પુરાભાઈનો દિકરો, ધનજીભાઈ વિગેરેના સાગ્રીતો, ભુવાનું કોર વ્હીલ વિગેરે આધાર મુકવામાં આવ્યા હતા. તાત્કાલિક ગુન્હો બનતો અટકાવવા જાયાની મદદ માંગી હતી. બલીનો સમયગાળો ઓછો હોય જાથાએ ધ્યાન દોર્યું હતું. સાકરીયા કુટુંબની વાડી, જીંજરીયા પરિવારના અમુક પરિવારો માનતામાં શ્રદ્ધા રાખવાની વાત મુકી હતી. પશુબલી કાયમી અટકે તે સંબંધી માહિતી આપી હતી.
જાથાના ચેરમેન-એડવોકેટ જયં પંડયાએ રાજકોટ પોલીસ કમિશ્નર, એરપોર્ટ પોલીસ સ્ટેશનને પત્ર મોકલી મદદની માંગણી કરતાં પી.આઈ. આઈ. એન. સાવલીયાએ જાથાને પોલીસ વાન સહિત સ્ટાફ ફાળવી દીધો હતો. જાથાના વડા જયંત પંડયાના વડપણ હેઠળ રોમિતભાઈ રાજદેવ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, રામભાઈ આહિર સહિત જીવદયા મિત્રો પોલીસ સ્ટેશને પહોંચતા તુરંત પશુબલી ઘટના સ્થળે પહોંચ્યા.
સીમમાં આવેલ માતાજીના મઢે જાથા-પોલીસનો કાફલો પહોંચતા મઢના રસ્તામાં આડશ, કાંટા મુકવામાં આવ્યા હતા દૂર કરીએ ત્યાં અંદર પશુબલી સ્થળે નાસભાગ થઈ ગઈ. બોકળાનો પ્રસાદ લઈ ભુવો ભાગી ગયો. ૪ બોકળા સીમમાં મુકી દીધા. મોટાભાગના લોકો મુઠ્ઠી વાળીને ભાગતા જોયા. જાથાના ચેરમેન પંડયાએ પો.ઈન્સ. આઈ. એન. સાવલીયા
સાથે સવિગતે વાત કરી ભુવા સહિત ભાગી ગયા છે. પખવાડીયામાં ગામમાં જાગૃતિ કાર્યક્રમ રાખીશું. જાથાની હાજરી બાબતે સંમતિ આપી હતી. માનતાના નામે પશુબલી કાનુની અપરાધ છે. ૨૧મી સદી પશુબલી અટકવી જોઈએ.