રાજકોટ ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ સુરત શિક્ષણ અધિકારી એક્શનમાં
રાજકોટ અગ્નિકાંડના પડઘા સમગ્ર ભારતમાં પડ્યા છે અને ગુજરાતમાં ફાયર સેફટીને લઈને તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વધુ એક અગ્નિકાંડ ન બને તે માટે દરેક જીલ્લામાં ફાયર NOCને તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે રાજકોટની ઘટના બાદ હરકતમાં આવેલ સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફાયર સેફટી મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે હવે સુરત શિક્ષણ અધિકારી પણ એક્શનમાં છે. વિધાર્થીઓ જ્યાં શિક્ષણ મેળવવા જાય છે તે શાળાઓમાં ફાયર સેફટીની શું સુવિધા છે તે બધી જ બાબતે તપાસ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
જ્યાં લોકોના ભૂલકાઓ ભણે છે ત્યારે ફાયર સેફટી છે કે નહિ તેને લઈને સુરતની શાળાઓમાં ફાયર NOCને લઈને તપાસ શરુ કરવામાં આવી છે. અગ્નિકાંડ જેવી બીજી ઘટના ન બને તે અને વિધાર્થીઓના જીવ જોખમમાં તો નથી ને તે માટે સુરતમાં શિક્ષણ અધિકારી એક્શનમાં આવ્યા છે અને શહેરની તમામ શાળાઓમાં આપવામાં આવ્યો તપાસનો આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ અધિકારી દ્વારા 120 ટિમો બનાવવામાં આવી છે જે શાળાઓમાં ફાયર સેફટીના સાધનો અને ફાયર NOC બાબતે તપાસ કરવામાં આવશે.
સુરતમાં શાળાઓ ખુલ્યા બાદ શાળાના વિદ્યાર્થીઓને પણ આગની ઘટનામાં કઈ રીતે રક્ષણ મેળવવું તે બાબતની તાલીમ આપવામાં આવશે. શાળાના શિક્ષકો અને આચાર્યને પણ તાલીમ આપવામાં આવશે. શાળા શરૂ થયા બાદ અલગ અલગ શાળામાં મોકડ્રીલ યોજવામાં આવશે. જો કોઈ શાળામાં તપાસ દરમિયાન ફાયર સેફટી ના સાધનોની અછત જણાશે તો સુરત મહાનગરપાલિકાના બાબતે રિપોર્ટ કરવામાં આવશે. શહેરની સ્કુલ, પ્રી-સ્કુલમાં ફાયર સેફટીનો અભાવ તો નથી ને તે બબાતે તપાસ કરવામાં આવશે અને જો ફાયર સેફટીના સાધનોની અછત જણાશે તો મહાનગરપાલિકાને રિપોર્ટ કરવામાં આવશે.