Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને શાળા-કોલેજ જવા આવવા સમયસર અને સુરક્ષિત પરિવહન વ્યવસ્થા પૂરી પાડતી રાજ્ય સરકાર

Tue, July 21 2026

ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત ગાંધીનગરમાં 139 નવીન બસોનું મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું

આદિજાતિ પરિવારના 4100થી વધુ વિદ્યાર્થીઓ માટે શાળા-કોલેજ અભ્યાસ માટે પૂરતી સુવિધાયુક્ત પરિવહન સેવાથી ઉચ્ચ શિક્ષણ અને કન્યા કેળવણીને પ્રોત્સાહન મળશે

વડાપ્રધાનની પ્રેરણાથી ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન બસ સેવા માટે 72 કરોડ રૂપિયાનું પ્રાવધાન – કુલ 250 બસો સેવારત

તમામ બસો GPS પદ્ધતિથી સુસજ્જ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ રાજ્યના આદિજાતિ જિલ્લાઓના દુર્ગમ, અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને શાળા કોલેજ જવા આવવા માટે સમયસર અને સુરક્ષિત પરિવહન વ્યવસ્થાની સુવિધાની ભેટ આપી છે.

આ હેતુસર ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન બસ સેવામાં નવી 139 બસોને તેમણે ગાંધીનગરથી ફ્લેગ ઓફ કરાવ્યું હતું.

રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના સંયુક્ત ઉપક્રમે કુલ 33.84 કરોડના ખર્ચે આ નવી 139 બસો આદિજાતિ વિસ્તારોમાં સેવામાં મૂકવામાં આવી છે.

રાજ્ય સરકારે આદિજાતિ વિસ્તારના અંતરિયાળ, દુર્ગમ અને પહાડી પ્રદેશોમાં વસતા આદિજાતિ પરિવારોના બાળકો અને યુવાઓને તેમના વસવાટના સ્થળેથી દૂર આવેલા શાળા-કોલેજોમાં અભ્યાસ માટે અવર-જવરની સરળ સુવિધા, ટ્રાન્સપોર્ટેશન સહુલિયત માટે ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન યોજનામાં રૂ.72 કરોડના ખર્ચે 250 બસો ફાળવવાની જાહેરાત કરેલી છે.

આ પણ વાંચો: MP વિધાનસભામાં UCC બિલ પસાર: લગ્નથી લિવ-ઈન સુધી એકસમાન કાયદો: 404 કલમોવાળું બિલ, રજિસ્ટ્રેશન હવે ફરજિયાત

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતી ઉજવણી અવસરે ગયા વર્ષે તારીખ 15 નવેમ્બરે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતેથી આ યોજના અંતર્ગત 111 બસોને લીલી ઝંડી આપીને આદિજાતિ વિસ્તારોમાં વિદ્યાર્થીઓની સેવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું.

ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન બસ સેવા અન્વયે વધુ 139 બસોને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ મંગળવાર 21 જુલાઈએ રાજ્યના જુદા જુદા વિસ્તારો માટે રવાના કરાવી હતી.

આ બસ સેવાઓનો લાભ અંદાજે 4100થી વધુ આદિજાતિ વિદ્યાર્થીઓને શાળા કોલેજે અવરજવર માટે મળતો થશે. એટલું જ નહીં, પરિવહન સુવિધા થકી કન્યા કેળવણી અને ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન મળશે. શાળા કોલેજોમાં નિયમિત હાજરીમાં વધારો અને શાળા છોડવાના દરમાં પણ ઘટાડો થશે.

આ ઉપરાંત, વિદ્યાર્થીના ઘરેથી શાળા અને શાળાએથી ઘર સુધીની સમયસર અને સુરક્ષિત પરિવહન વ્યવસ્થા મળતી થશે. બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન હેઠળ આ તમામ બસોને GPS પદ્ધતિથી મોનિટરિંગ અને રોજેરોજ બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓનું નામ, બસ પાસ નંબર, રૂટ, શાળા તથા ગામની વિગતોનું વેબ પોર્ટલના માધ્યમથી અપડેટ પણ મળતું રહેશે. શાળા કોલેજ સમય બાદ આ બસોની સુવિધા રેવન્યુ મોડલથી આદિજાતિ વિસ્તારોના લોકોને પણ મળી શકશે.

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ આ યોજનાના પ્રથમ તબક્કામાં ફ્લેગ ઓફ કરાવેલી 111 બસોનો રાજ્યના આદિજાતિ જિલ્લાઓના વિદ્યાર્થીઓએ ખૂબ મોટા પ્રમાણમાં લાભ મેળવ્યો છે તેમજ 2026-27ના શૈક્ષણિક વર્ષમાં 5700 જેટલા વિદ્યાર્થીઓ લાભ મેળવી રહ્યા છે.

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓની અભ્યાસ સુવિધા માટે આ વધુ 139 બસોને પ્રસ્થાન કરાવ્યું તે અવસરે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, વાહન વ્યવહાર રાજ્યમંત્રી  પ્રવીણ માળી, રાજ્યમંત્રી  પી.સી. બરંડા,  જયરામ ગામીત અને  રમેશ કટારા તથા આદિજાતિ વિસ્તારોના ધારાસભ્યઓ, મુખ્ય સચિવ  એમ.કે. દાસ, સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:

BetterFuturesCollegeTransportCommunitySupportEducationAccessEducationForAllEmpowerStudentsGovernmentInitiativeInclusiveEducationSafeRoutesSafeTransportSchoolTransportStateGovernmentStudentSafetySupportLocalTimelyTransportTransportForAllTransportSystemTribalAreasTribalYouth

Share Article

Other Articles

Previous

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘નેટ ઝીરો’ વિઝનની દિશામાં ગુજરાતે હાંસલ કરી સિદ્ધિ

Next

MP વિધાનસભામાં UCC બિલ પસાર: લગ્નથી લિવ-ઈન સુધી એકસમાન કાયદો: 404 કલમોવાળું બિલ, રજિસ્ટ્રેશન હવે ફરજિયાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
છેલ્લા 24 કલાકમાં પારડીમાં 8.19 ઈંચ વરસાદ: ગુજરાતમાં ચોમાસું 2026નો રિપોર્ટ જાહેર
48 મિનિટutes પહેલા
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર – ગાંધીનગર ખાતે વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઈ
1 કલાક પહેલા
જંતર-મંતર પર ગુંજતો યુવાનોનો સાદ એ કોઈ બળવો નથી, પણ તૂટતા સપનાઓનો આર્તનાદ છે!
1 કલાક પહેલા
`વેપન કાર્ટેલ’ની કમર તોડી નાખતી પીસીબી: ૩૮ હથિયાર, ૩૨ કાર્ટિસ, ૨૦ શખસો પકડાયા
1 કલાક પહેલા
Categories

નેશનલ

3289 Posts

Related Posts

રાજકોટ : 14 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપી જેલમુક્ત 
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Mahakumbh 2025: કયા દિવસે છે મહાકુંભનું પ્રથમ શાહી સ્નાન ?? તેનું નામ કેવી રીતે પડ્યું ? જાણો ધાર્મિક મહત્વ અને શાહી સ્નાનની તારીખ વિશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આને કહેવાય સાચી દિવાળી : જામનગરના અલિયાબાડાના દિવ્યાંગ યુવાને દિવડાની કામગીરી થકી 11 લોકોના જીવનમાં પ્રકાશ પાથર્યો
ગુજરાત
2 વર્ષ પહેલા
અમદાવાદનો ફ્લાવર શો દરેકનું મન મોહી લ્યે તેવો : નરેન્દ્ર મોદી
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર