- ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર અયોધ્યા ચોકડી પાસે સુંદર મજાના વેન્યુ ઉપર રમશે ખેલૈયાઓ
- નવનાત સાથે જોડાયેલા બે લાખ લોકો આ નવરાત્રી મહોત્સવના સહભાગી બનશે
એક વર્ષના વિરામ બાદ સામાજિક સંસ્થા જૈન વિઝન ફરી એક વખત મેદાને આવી છે અને આગામી નવરાત્રી મહોત્સવ ધૂમધડાકા ભેર ઉજવવાની જાહેરાત કરી છે. જૈન વિઝન અને નવનાત વણિક સંગઠન દ્વારા આ વખતે સોનમ નવનાત ગરબા-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે અને તેની તડામાર તૈયારી શરુ થઇ ગઈ છે. જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી અને વિશ્વ વણિક સંગઠન ના સી એમ શેઠે સંયુક્ત જણાવ્યા અનુસાર, જૈન વિઝન સાથે વરસોથી રાસે રમતા ખેલૈયાની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને આ વખતે ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર શીતલ પાર્ક ચોકડી અને અયોધ્યા ચોકડીની વચ્ચે સુંદર મજાના મેદાનમાં તા. ૩ ઓક્ટોબરથી ૧૨ ઓક્ટોબર સુધી નવરાત્રી ઉજવાશે.
આ વખતે ખેલૈયાઓની માંગને ધ્યાનમાં રાખીને ગરબા અને બોલીવુડ સિંગર અશ્વિની મહેતા, ગરબા કિંગ ઓફ ગુજરાત આતા ખાન, મ્યુઝીક એરેન્જર રાજુ ત્રિવેદી, રીધમ કિંગ મહેશ ઢાંકેચા, એન્કર કમ સિંગર ગાર્ગી નિમ્બાર્ક, ગીટારીસ્ટ હિતેશ મહેતા અને ફોક સિંગર તુષાર ત્રિવેદી વગેરે ધૂમ મચાવશે. આર્ટીસ્ટનું મેનેજમેન્ટ જીલ એન્ટરપ્રાઈઝનાં તેજસ શીશાંગીયા કરી રહ્યા છે.
આ સોનમ નવનાત ગરબા-૨૦૨૪ના કાર્યાલય અને પાસની વિગત ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. હાલમાં જૈન વિઝનની ટીમ કામે લાગી ગઈ છે અને અત્યાર સુધી ક્યારેય ન થયા હોય તેવા ગરબા યોજવાની તૈયારી ચાલી રહી છે. ખેલૈયાઓ અને રાજકોટના જૈન પરિવારો જાણે જ છે કે, જૈન વિઝનનું એક માત્ર આયોજન એવું છે કે જ્યાં સંપૂર્ણ પારિવારિક માહોલમાં નવરાત્રી ઉજવાય છે અને બહેનો નિર્ભીક બનીને ગરબે રમે છે. આ નવરાત્રી મહોત્સવમાં બહેનોને વિનામૂલ્યે રમવા દેવામાં આવે છે. જયારે ભાઈઓ પાસેથી ટોકન ફી લેવામાં આવે છે. આ નવરાત્રી મહોત્સવના અનેક આકર્ષણો હોય છે અને તેની જાહેરાત હવે પછી કરવામાં આવશે.
જય વણિક વિશ્વ વણિક સામાજિક સંગઠનના બીજ 2002 અને 2003 થી રોપાયા ગુજરાત ઘરની અંદર આ સંગઠનની શાખાઓ ખોલવામાં આવી હતી. મુખ્ય કચેરી શરૂઆતમાં જુનાગઢ અને પછી રાજકોટ ખાતે શિફ્ટ કરવામાં આવી હતી. હાલમાં વણિક ભવન ની અંદર વિશ્વ વણિક સામાજિક સંગઠનનું કાર્યાલય કાર્યરત છે.
નવનાત સંગઠન દ્વારા આ વખતે યુવા અને યુવતીઓ માટે નવરાત્રી ઉપર એક અર્વાચીન રાસ ગરબા કહી શકાય એ ટાઈપનું એક આયોજન કરવામાં આવેલું છે અને એમાં બહેનોની એન્ટ્રી ફી રાખવામાં આવેલ છે આ આયોજનની અંદર જૈન વિઝન ગ્રુપ જોડાયેલું છે.
નવનાતની અંદર જે નાત આવે છે એમાં સ્થાનકવાસી, દેરાવાસી, તેરાપંથી, સોની સમાજ, સોની વણિક સમાજ, મોઢવણિક, સોરઠીયાવણિક સહિતની અનેક જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓ જોડાયેલી છે રાજકોટની અંદર જ બે લાખ ઉપરાંત વસ્તી છે અને આવા વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે જેથી એકબીજાથી નજીક આવે અને સારામાં સારી રીતે એકબીજાના પ્રશ્નો સોલ્વ કરી શકે સમાજની અંદર રાજકીય લેવલે પણ એક આગવી પ્રતિમા ઉભે ઊભી થઈ શકે એવા પ્રયત્નો છે .
સમગ્ર નવનાતને આ નવરાત્રી મહોત્સવમાં જોડાવા છબીલદાસભાઈ મહેતા બાબુભાઈ શાહ અરવિંદભાઈ સંઘવી વસંતભાઈ અદાણી સહિતના અનેક મહાનુભવોએ અનુરોધ કર્યો છે. શીલ્પા જ્વેલર્સ, રાધિકા જ્વેલર્સ ,જીતુભાઈ બેનાણી વિગેરે આમાં સલાહકાર તરીકે જોડાયેલા છેજૈન વિઝન અને નવનાત સંગઠન દ્વારા યોજાઈ રહેલા આ સોનમ ગરબા મહોત્સવને લઈને અત્યારથી ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.