Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

SITની રચના પુરાવાનો નાશ કરવા માટે કરાય છે: ઇસુદાન ગઢવી

Mon, June 17 2024

રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે “આપ”ના સરકાર પર આકરા પ્રહાર: પત્રકાર પરિષદ યોજાઇ: પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ થવી જોઈએ તેવી માંગ કરાઇ: SITની રચના કરી ઢાંક પિછોડો કરવામાં આવે છે: ઇસુદાન ગઢવી

રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ બનાવાયેલી sit મુદ્દે સોમવારે આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, દરેક દુર્ઘટના બાદ SITની રચના કરી ઢાંક પિછોડો કરવામાં આવે છે. એમણે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, SITની રચના પુરાવાઓનો નાશ કરવામાં માટે કરવામાં આવે છે.

રાજકોટમાં ટીઆરી ગેઈમ ઝોનમાં બનેલી આગની દુર્ઘટનામાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. ત્યારબાદ ઘટનામાં જવાબદારોને પકડી પાડવા SITની રચના કરવામાં આવી હતી. જે અંગે સોમવારે રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીની પત્રકાર પરિષદ યોજાઇ હતી. આ પત્રકાર પરિષદમાં ઇસુદાને સરકાર પર આકરા પ્રહાર અને આક્ષેપો કર્યા હતા.

પત્રકાર પરિષદમાં ઇસુદાને કહ્યું હતું કે દુર્ઘટના બને છે અને દરકે દુર્ઘટનાની તપાસ માટે જે SIT ની રચના કરવામાં આવે છે પરંતુ અત્યાર સુધીમાં કોઈએ કહ્યું નથી કે મારી જવાબદારી છે. ભાજપ એક સીટ હારે ત્યારે જવાબદારી સ્વીકારે છે પણ આવી ઘટનામાં કોઈ જવાબદારી સ્વીકારતા નથી. SITએ પુરાવાઓનો નાશ કરવા અને માનીતાઓને બચાવવા માટેનો કારસો છે. તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

એમણે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, દુર્ઘટના બાદ SITની રચના તપાસ માટે નહી પરંતુ ઘટનામાં સંડોવાયેલાઓને બચાવી લેવા માટે થાય છે. સુભાષ ત્રિવેદી સરકારના માનીતા છે એટલે તેમને **SITમાં લેવાય છે. પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ થવી જોઈએ તેવી માંગ કરી હતી. જ્યાં સુધી કોઈ ias, ipsની ધરપકડ નહી થાય ત્યાં સુધી આવી ઘટના બનતી રહેશે. વિજિલન્સ, acb, tp, ias, ipsએ સરકારનો એક ભાગ છે. જે દેખાડા માટે કામ કરે છે.

મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમને અને જે વોર્ડમાં અગ્નિકન્ડની ઘટના બની તે વોર્ડના કોર્પોરેટર વિશે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કા તો એમણે હપ્તા લીધા હશે કા તો એમણે ફોનથી ટીઆરપી ઝોન ચલાવવા કહ્યું હશે. મેયરની હજુ સુધી પૂછપરછ કરવામાં નથી આવી એવું પણ એમણે કહ્યું હતું. ગુજરાતમાં બનેલી જુદી-જુદી ગોઝારી ઘટના બાદ **SITની કાર્યવાહી અંગે ટીમ બનાવી તપાસ કરી હતી. જેમાં વડોદરાના હરણી બોટકાંડમાં સાચા આરોપીઓની ધરપકડ થઈ નથી. 15 આરોપીની ધરપકડ થઈ હતી. તેમાંથી લોકસભા ચુંટણી પૂરી થતાં જ આરોપીઓને જમીન પર મુક્ત કરવામાં આવ્યા છે. હજુ સુધી કોઈ કમિટી કે **SITનો તપાસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નથી.

થાનગઢમાં થયેલા દલિત કાંડ વિશે કહ્યું હતું કે, આ ઘટનાના 12 વર્ષ થયા છતાં 2 એફઆઇઆરની ચાર્જશીટ પણ બની નથી.

SITની રચના બાદ બે હત્યાના આરોપી પકડાયા નથી. એક હત્યાના આરોપી **PSI સાહિતને 3ને પકડવામાં આવ્યા હતા. જેઓને 6 મહિને બાદ જમીન પર છોડી મૂકવામાં આવ્યા. તેવી જ રીતે તક્ષશિલા કાંડના તમામ 14 આરોપી છૂટી ગયા છે. જ્યારે બોટાદ લઠ્ઠા કાંડમાં પણ આરોપીઓની ધરપકડ બાદ છૂટી ગયા છે. સરકારે કોઈ વળતર જાહેર કર્યું નથી. આમ જુદી-જુદી ઘટનાઓમાં સાચા આરોપીઓને પકડવામાં આવ્યા નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી ઉપરાંત પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ, લોકસભા ઇન્ચાર્જ દિલીપસિંહ વાઘેલા, શહેર પ્રમુખ દિનેશ જોશી સહિતના હાજર રહ્યા હતા.

Tags:

aapishudansit

Share Article

Other Articles

Previous

દેશમાં છેલ્લાં 62 વર્ષોમાં 38,000થી વધુ રેલવે અકસ્માતોમાં અનેકે જીવ ગુમાવ્યા

Next

વિશ્વના સૌથી ઊંચા બ્રીજ ઉપરથી સૌપ્રથમ ટ્રાયલ ટ્રેન દોડી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
11 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
12 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
12 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
12 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

બોટાદ : ગઢડામાં પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ બેડામાં શોક
ગુજરાત
3 મહિના પહેલા
લાલુનું વિવાદિત બયાન, અમે પીએમના ગળા ઊપર ચઢવા જઈ રહ્યા છીએ !
નેશનલ
2 વર્ષ પહેલા
નૂંહમાં કલમ 144 લાગુ, ઇન્ટરનેટ સેવાઓ બંધ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આજે પારિવારિક બાબતો કરી શકે છે હેરાન, માનસિક થાક લાગે
ધાર્મિક
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર