Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રામનાથ મહાદેવની 102મી પાલખીયાત્રા નીકળી: વરણાગીમાં ભક્તિ અને શ્રદ્ધાનો સાગર ઘૂઘવ્યો, હર..હર..મહાદેવના નાદ ગૂંજ્યા

Mon, August 18 2025

આજે પવિત્ર શ્રાવણ માસનો ચોથો અને છેલ્લો સોમવાર છે ત્યારે રાજકોટના પુરાણપ્રસિદ્ધ સ્વયંભૂ રામનાથ મહાદેવની102મી પાલખી યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ અને હજારોની સંખ્યામાં શિવભકતો બમ બમ ભોલેના નાદ સાથે જોડાયા હતા. આ વરણાગી જ્યાં જ્યાંથી પસાર થી ત્યાં ત્યાં હર હર મહાદેવનો નાદ પણ ગુંજ્યો હતો. રામનાથ મહાદેવની 102મી વરણાંગી મંદિરેથી નીકળી રામનાથપરા રોડ કોઠારીયા નાકા, પેલેસ રોડ, આશાપુરા મંદિપ પાછળથી, કરણપરા ચોક, કિશોરસિંહજી રોડ, જયરાજ પ્લોટ, હાથીખાના થઇ શ્રી રામનાથ મહાદેવના મંદિરે પરત ફરી હતી.

સ્વયંભુ રામનાથ મહાદેવના સાંનિધ્યમાં બપોરે 2 વાગ્યે ષોડશોપચાર પૂજન આરતી કરવામાં આવી હતી ત્યારબાદ રાજકોટના રાજમાર્ગો પરથી ભવ્ય પાલખીયાત્રા નીકળી હતી. દ્રશ્યો જોઈને એવું લાગશે કે જાણે પાલખીયાત્રામાં શિવભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. સ્વયંભૂ રામનાથ મહાદેવની 102મી પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં શિવભકતો જોડાયા હતા અને ઠેર ઠેર રસ્તા પર હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યા હતા. આ ઉપરાંત જયારે અલગ અલગ ચોકમાંથી રામનાથ મહાદેવની પાલખી યાત્રા પસાર થઇ હતી ત્યાં મહાદેવ પર પુષ્પોની વર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

102 વર્ષ પૂર્વે પાલખીયાત્રાની શરૂઆત

રાજકોટ શહેરમાં આજથી 102 વર્ષ પૂર્વે આ પાલખીયાત્રાની શરૂઆત થઈ હતી. 102 વર્ષ પહેલા રાજકોટમાં પ્લેગ નામનો રોગ ફાટી નીકળ્યો હતો. આ રોગથી રાજકોટ વાસીઓને બચાવવા ત્યારના રાજા લાખાજીરાજ બાપુએ રામનાથ મહાદેવ મંદિરે પ્રાર્થના કરીને માનતા માની હતી કે, એ સ્વયંભૂ રામનાથ દાદા આપ ગ્રામ દેવતા છે તમોને બે હાથ અરજ કરૂ છું કે, મારી પ્રજા ઉપર જે પ્લેગનો રોગ ઘેર ઘેર છે તે આપ દુર કરો. જો રાજકોટ શહેર પ્લેગ રોગથી બચી જશે, તો તે રામનાથ મહાદેવની પાલખી યાત્રા શહેરમાં ફેરવશે અને તે સમયે રાજકોટનાં લોકો પ્લેગમુક્ત થયા હતા. ત્યારથી દર વર્ષે ભગવાન રામનાથ મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવે છે.

મહાદેવે રાજકોટની રક્ષા કરી ત્યારથી પરંપરા

આ ખતરનાક રોગથી મહાદેવે રાજકોટની રક્ષા કરી ત્યારથી આ પરંપરા ચાલી આવી છે. મહાદેવ સદૈવ રાજકોટ શહેરની રક્ષા કરે તેવી પ્રાર્થના સાથે આવતીકાલે 102મી પાલખી યાત્રા કાઢવામાં આવશે. જેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તડામાર તૈયારી કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદનો વધુ રાઉન્ડ થશે શરૂ : 6 દિવસ અતિભારે વરસાદની આગાહી, આવતીકાલે 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

રામનાથ મહાદેવની વરણાગીનો રૂટ

સ્વયંભૂ રામનાથ મહાદેવની 102મી વરણાગી મંદિરેથી બપોરે 4 વાગ્યાની આસપાસ શરૂ થઇ હશે. અને પછી રામનાથપરા મેઈન રોડ થઇ કોઠારીયા નાકા, કોઠારીયા નાકાથી પેલેસ રોડ, પેલેસ રોડથી આશાપુરા મંદિપ પાછળ થઇ કરણપરા ચોક, કરણપરા ચોકથી કિશોરસિંહજી રોડ, કિશોરસિંહજી રોડથી પરત પેલેસ રોડ, પેલેસ રોડથી જયરાજ પ્લોટ, જયરાજ પ્લોટથી રામમઢી ચોક, રામમઢી ચોકથી હાથીખાના મૈન રોડ, હાથીખાના મૈન રોડથી રામનાથ મહાદેવના મેઈન રોડ અને ત્યાંથી પરત રામનાથ મહાદેવ મંદિર આવી હતી. આ દરમિયાન સેંકડો ભાવિકો તેમાં ઉત્સાહભેર જોડાયા હતા.

Share Article

Other Articles

Previous

રાજકોટ શહેરના 4 DCP સહિત રાજયના 116 ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા

Next

PSI બનાવવાનું સપનું પૂરું ન થતાં રાજકોટની 27 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત : દોડની કસોટી દરમિયાન જ પગમાં થયું’તુ ફ્રેક્ચર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
નોકરીએ રાખ્યાના પ્રથમ દિવસે જ કારીગર 1 કરોડનું સોનુ લઇને ફરાર : 3.5 માસ સુધી શોધ્યો, ભાળ ન મળતાં અંતે નોંધાવી પોલીસ ફરિયાદ
2 કલાક પહેલા
હેપ્પી બર્થ-ડે PM : રાજકોટના 90 કલાકારોએ તૈયાર કરી અદ્ભુત 75 રંગોળી,તસવીરો જોઈને થઈ જશો મંત્રમુગ્ધ
2 કલાક પહેલા
ઈમરજન્સીમાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં મોડું થયું? તો તમારી પાસે માત્ર એક જ વિકલ્પ બાકી, આ લોકોને પેનલ્ટી વગર રાહત મળશે
3 કલાક પહેલા
સિરામિક ગ્રુપ પર ITના દરોડા : 3 કરોડની રોકડ મળી, રાજકોટ-મોરબીમાં લેવીસ,મેટ્રો ગ્રુપ પર ઇન્વેટીગેશન વીંગનું મોટું ઓપરેશન
3 કલાક પહેલા
Categories

નેશનલ

2504 Posts

Related Posts

ખોરાકને તળી લીધા બાદ વધેલા તેલનું શું કરવું ?? ICMRએ જણાવી મહત્વની વાતો
લાઇફસ્ટાઇલ
1 વર્ષ પહેલા
ભારતે યુએનમા પાકિસ્તાનને શું ફટકાર લગાવી ? શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
રાજકોટ : 12 વર્ષીય તરુણનું આચકી ઉપડ્યા બાદ મોત
ગુજરાત
1 વર્ષ પહેલા
કોંગ્રેસના નેતાઓએ શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર