રાજકોટ એરપોર્ટ પર પેસેન્જરોએ લગાવ્યો પાણીનો પોકાર: અડધો દિવસ ‘પાણી’ ન આવ્યું..!!
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગઈકાલે વહેલી સવારથી પેસેન્જરોએ પોકાર કર્યો હતો તેમ છતાં ઓથોરિટીનાં પેટનું પાણી હલ્યું નથી.સોમવારે સવારે મુંબઈની ફલાઈટ ટેકઓફ થાય એ પહેલાં જ પીવાનું કે વોશરૂમમાં પાણી આવાનું જ બંધ થઈ જતાં ટર્મિનલ પર દેકારો મચી ગયો હતો.

અગાઉ પણ ટર્મિનલ પર અનેક વખત પાણીની સમસ્યા સર્જાય છે, આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટની હાલત બસપોર્ટ કરતાં પણ બદતર હોય તેમ વારેવારે પાણી આવતું બંધ થઈ જવાની ફરિયાદો સામે આવે છે.ગઈકાલે સવારે એરઇન્ડિયા અને ઈન્ડિગોની 3 ફલાઈટના પેસેન્જર મળી કુલ 600 જેટલા મુસાફરોને આ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો : રેશનકાર્ડ ધારકોને જૂન માસનું અનાજ વિતરણ કરવા મુદત વધારવા અનાજના વિક્રેતાઓએ જિલ્લા કલેક્ટરને કરી રજુઆત
જ્યારે આ સમસ્યાને ઉજાગર કરવાં એરલાઇન્સએ ઓથીરિટીને જાણ કરી તો ય “હમણાં થઈ જાશે” તેવાં ઠાલા વચનો આપ્યા કર્યા,પણ આખરે બપોરે 12 વાગ્યા સુધી પાણી તો પેસેન્જરોને મળ્યું જ નહીં.એક તબક્કે તો વોશરૂમમાં પણ પાણી આવતું ન હોવાથી એક સમયે ટીશયું પેપર પણ ખૂટી પડ્યા હતા.ટેક્નિકલ ટીમનાં જણાવ્યા અનુસાર પાણીની 2 પાઇપલાઇન મેન્ટેનન્સ હેઠળ છે જે એક ચાલુ હતી તે બંધ થઈ ગઈ હતી.