કથાકાર મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબેનનું નિધન : 75 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ,તલગાજરડા ખાતે સમાધિ અપાઈ
દેશના જાણીતા કથાકાર મોરારીબાપુ ધર્મપત્ની નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું નિધન થયું છે. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા છે. નર્મદાબેનના પાર્થિવદેહને તલગાજરડાના નિવાસસ્થાને સમાધિ આપવામાં આવી હતી.

નર્મદાબેને 75 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબેને ગઈકાલે મોડી રાતે 1.30 વાગ્યે 75 વર્ષે અંતિમ શ્વાસ લીધા હતા. નર્મદાબેનની તબિયત થોડા સમયથી ખરાબ હતી અને છેલ્લા બે દિવસથી અન્નનો ત્યાગ પણ કરેલ હતો. તેમના પાર્થિવદેહને તલગાજરજડાના નિવાસસ્થાને સમાધિ આપવામાં આવી છે. નર્મદાબેનના નિધનથી તલગાજરડામાં શોકની લાગણી છવાઈ છે.

વાણોટ ગામે થયા હતા લગ્ન
નર્મદાબેન અને મોરારી બાપુના લગ્ન વણોટ ગામે થયા હતા. તેમની અંતિમવિધિ આજે સવારે 9 વાગ્યે તલગાજરડા મુકામે કરવામાં આવી છે. નર્મદાબેનની થોડા સમયથી તબિયત ખરાબ હતી અને બે દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો. ત્યારે ગઈકાલે મોડી રાતે 1.30 વાગ્યે 75 વર્ષે અંતિમ શ્વાસ લીધા હતા.
આ પણ વાંચો : દ્વારકા જવાના હોય તો ખાસ વાંચજો : જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવને લઈને જગત મંદિરના દર્શનના સમયમાં ફેરફાર
તલગાજરડા ગામ સ્વયંભૂ બંધ
તલગાજરડાના ગ્રામજનોએ આ દિવસે ધંધો રોજગાર સ્વયંભૂ બંધ રાખી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલે પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમની સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટના અન્ય સભ્યો તથા ગુજરાતના બધા ધારાસભ્યોએ પણ તેમને શોકાંજલિ પાઠવી છે.