પહેલગામમાં મોટો આતંકી હુમલો : ભાવનગરના પિતા-પુત્ર સહિત 28 લોકોના મોત, આજે જમ્મુ-કાશ્મીર બંધનું એલાન
કાશ્મીરમાં આતંકી હુમલો કોઈ નવી વાત નથી પરંતુ અત્યાર સુધી જે હુમલા થયા છે તે પોલીસ અથવા સેનાના જવાનો ઉપર અને તેના કાફલા ઉપર થયા છે પણ આ વખતે પહેલગામમાં પ્રવાસીઓ ઉપર આતંકી હુમલો થયો છે જે ચિંતાજનક છે. મંગળવારે પહેલગામનાં બૈસરન વિસ્તારમાં ઘોડેસવાર પ્રવાસીઓનાં જૂથ ઉપર આતંકીઓએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં એકનું મોત થયું હતું જયારે સાત ઘાયલ થયા હતા. ઘાયલોમાં સ્થાનિક લોકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.આ હુમલો લશ્કર-એ-તોઈબાએ કર્યો હોવાની આશંકા છે.
આ હુમલો ત્રણ આતંકીઓએ કર્યો હતો અને ત્રણેયે સેનાના પહેરવેશમાં હતા. આ હુમલા પછી તે નાસી છૂટ્યા હતા. હુમલો કરતા પહેલા આતંકીઓએ પ્રવાસીઓને તેમના નામ અને નાત-જાત પૂછ્યા હતા અને પછી હુમલો કર્યો હતો.
માર્ચમાં હિમવર્ષા બાદ સેકડોંની સંખ્યામાં પર્યટકો જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. એવામાં પહલગામમાં ટ્રેકિંગ માટે આવેલા પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર પ્રવાસીઓ રાજસ્થાનથી કાશ્મીર ફરવા માટે આવ્યા હતા. પ્રવાસીઓ જ્યારે એક પહાડ પર ટ્રેકિંગ કરવા માટે ઘોડા ઉપર બેસીને બેઇઝ સુધી જઈ રહ્યા હતા ત્યારે છુપાઈને બેઠેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.આ ગોળીબારમાં કેટલાક ઘોડાઓને પણ ગોળી લાગી છે.
સુરક્ષા દળોએ આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. કાશ્મીરમાં કેટલાક વિસ્તારો એવા છે જ્યાં આતંકવાદ દેખાતો નથી, પહેલગામ એક એવો વિસ્તાર છે. અહીં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. પહેલગામમાં પ્રવાસીઓ પર્વતની ટોચ પર ટ્રેકિંગ માટે જાય છે. આ આતંકવાદી હુમલો ત્યાં થયો હતો. ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો.
મોટાભાગના આતંકવાદીઓ પ્રવાસીઓ પર હુમલો કરતા નથી. કારણ કે તેનાથી સ્થાનિક લોકોના વ્યવસાય પર અસર પડશે. આ પ્રવાસીઓ જ્યાં પહોંચ્યા હતા તે સ્થળ પર્વતની ટોચ પર હતું, પોલીસકર્મીઓ દરેક જગ્યાએ પહોંચી શકતા નથી અને આતંકવાદીઓએ તક મેળવીને પ્રવાસીઓને નિશાન બનાવ્યા છે.
આતંકવાદી હુમલામાં પિતા-પુત્ર સહિત 3 ગુજરાતીના મોત
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં યતીશભાઈ સુધીરભાઈ પરમાર (પિતા) સ્મિત યતીશભાઈ પરમાર (પુત્ર)નું મોત નીપજ્યું છે, તેઓ ભાવનગરના કાળીયાબીડના રહેવાસી છે. જ્યારે મંગળવારે સુરતના શૈલેશભાઈ હિંમતભાઈ કળથીયાનું મોત નીપજ્યું હતું.
જોગાનુજોગ કે કાવતરું
જયારે જયારે કોઈ આંતરરાષ્ટ્રીય મહાનુભાવ ભારતની મુલાકાતે આવે છે ત્યારે ત્યારે કાશ્મીરના કોઈક ને કોઈક છમકલું કરવામાં આવે છે. ભૂતકાળમાં અમેરિકી રાષ્ટ્રપતિ ભારત આવ્યા ત્યારે પણ કાશ્મીરમાં હુમલો કરવામાં આવ્યો હતો અને આ વખતે ઉપરાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા છે ત્યારે આ હુમલો કરવામાં આવ્યો છે. આમ કરવા પાછળનો આતંકીઓનો હેતુ આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન કાશ્મીર ઉપર કેન્દ્રિત કરવાનો હોઈ શકે છે. આ વખતે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સાઉદી અરબની યાત્રાએ ગયા છે ત્યારે પહેલગામમાં આ પ્રકારે પ્રવાસીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે.
અમરનાથ યાત્રા ખોરવવાનો હેતુ
આ વખતે જુલાઈમાં પવિત્ર અમરનાથ યાત્રા શરુ થવાની છે અને તેની તૈયારી શરુ પણ થઇ ગઈ છે ત્યારે પહેલગામમાં થયેલો હુમલો સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાજનક છે. અગાઉ વર્ષ ૨૦૦૦માં અમરનાથ યાત્રા ઉપર આતંકી ઉપર હુમલો થયો હતો અને તેમાં ૮ યાત્રાળુ માર્યા ગયા હતા. આ સિવાય ૨૦૦૪માં પણ આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ વખતે જુલાઈમાં યાત્રા શરુ થવાની છે અને પહેલગામ આ યાત્રાનો મુખ્ય બેઇઝ કેમ્પ છે. જે સ્થળે હુમલો થયો છે તે બૈસરન રૂટ ઉપરથી જ યાત્રાળુઓ પસાર થાય છે. આ જોતા આ વખતે અમરનાથ યાત્રા ખોરવવાનો નાપાક ઈરાદો હોવાનું લાગી રહ્યું છે.