જામનગરનાં ધારાસભ્ય રીવાબા રવીન્દ્ર જાડેજાએ આજે રાજકોટમાં પત્રકારો સાથેની વાતચીતમાં તાજેતરમાં કેન્દ્ર સરકારે રજુ કરેલા બજેટમાં ગુજરાતના વિકાસ માટે ૪૩ હજાર કરોડ જેવી માતબર રકમ ફાળવી હોવાનો દાવો કર્યો હતો. ગત બજેટ કરતા આ વખતે ગુજરાતને ૧૨ ટકા વધુ રકમ ફાળવવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, આ વખતનું બજેટ ઐતિહાસિક હતું કારણ કે તે ૨૦૪૭ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે આ બજેટ જુદા જુદા ૯ સ્તંભો ઉપર આધારિત છે અને તેને કારણે દેશનો સર્વાંગી વિકાસ થશે. આ બજેટમાં કેન્દ્ર સરકારે તમામ વર્ગોના ઉત્થાન માટે યોજનાઓ જાહેર કરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતુ.