ગુજરાતના કંડલાથી ઓમાન જતાં જહાજમાં લાગી આગ : ઈન્ડિયન નેવી બની દેવદૂત, 14 ભારતીય ક્રૂ મેમ્બર્સ હતા સવાર
ગુજરાતથી ઓમાન જતાં જહાજમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં અખાતમાં MT યી ચેંગ 6 નામના જહાજમાં આગ લાગી હતી, જેને બુઝાવવા માટે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS તબર, જે ત્યાં મિશન પર છે, એ બચાવ કાર્ય શરૂ કર્યું હતું. INS તબરને આગ લાગતા જહાજ તરફથી કટોકટીનો કોલ મળ્યો હતો, ત્યારબાદ INS પર હાજર ટીમ એક્શનમાં આવી હતી.

MT યી ચેંગ 6 નામનું જહાજ પુલાઉ (એક દેશ) નું છે અને તેના એન્જિન રૂમમાં ભીષણ આગ લાગી હતી અને જહાજ પર સંપૂર્ણ વીજળી ગુલ થઈ ગઈ હતી. આ પછી, INS તબરની ટીમ – 13 ભારતીય નૌકાદળના કર્મચારીઓ અને 5 ક્રૂ સભ્યો – એ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.
Spokesperson of the Indian Navy tweets, "Indian Navy's stealth frigate INS Tabar, mission deployed in the Gulf of Oman, responded to a distress call from Pulau-flagged MT Yi Cheng 6, on 29 June. The vessel with 14 crew members of Indian origin, transiting from Kandla, India, to… pic.twitter.com/edRyP4LsVb
— ANI (@ANI) June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
MT યી ચેંગ 6 રવિવારે ગુજરાતના કંડલાથી ઓમાનના શિનાસ જઈ રહ્યું હતું ત્યારે તેણે કટોકટીનો કોલ આપ્યો હતો. MT યી ચેંગ 6 જહાજમાં 14 ભારતીય ક્રૂ સભ્યો હતા. ભારતીય નૌકાદળે X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, INS તબરની અગ્નિશામક ટીમો અને સાધનોને શિપ બોટ અને હેલિકોપ્ટર દ્વારા જહાજમાં સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : લો બોલો! હવે સોનું પણ નકલી, સુરતમાં ઝડપાઇ નકલી સોનાના ચેઈન બનાવવાની ફેક્ટરી, 12 શખ્સોને પોલીસે દબોચ્યા
આ જહાજમાં ભારતીય મૂળના 14 ક્રૂ સભ્યો સવાર
આ જહાજ, જેમાં ભારતીય મૂળના 14 ક્રૂ સભ્યો સવાર હતા, ભારતથી શિનાસ, ઓમાન જઈ રહ્યું હતું ત્યારે એન્જિન રૂમમાં ભીષણ આગ લાગી ગઈ અને જહાજ પર સંપૂર્ણ વીજળી ગુલ થઈ હતી . INS તબરની અગ્નિશામક ટીમો અને સાધનોને જહાજની બોટ અને હેલિકોપ્ટર દ્વારા જહાજમાં સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા. 13 ભારતીય નૌકાદળના કર્મચારીઓ અને ક્ષતિગ્રસ્ત ટેન્કરના 05 ક્રૂ સભ્યો હાલમાં આગ ઓલવવામાં રોકાયેલા હતા.