Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

પત્ની સાથેના ઝગડાએ ન્યુરોસર્જનનો ભોગ લીધો

Tue, August 20 2024
  • રાજકોટના ડૉ.રાજ ઘોણીયાએ દવાનો ઓવરડોઝ લઈને કર્યો આપઘાત
  • એઈમ્સ-દિલ્હીમાં ટ્રોમા સેન્ટરમાં નોકરી કરતાં હતા અને છ મહિના પહેલાં જ ન્યુરોસર્જરીનો અભ્યાસ પૂરો કર્યો’તો
  • પત્ની ડૉ.રીના રક્ષાબંધન હોવાથી રાજકોટ આવી અને પાછળથી ડૉ.રાજે પગલું ભરી લીધું
  • સ્યુસાઈડ નોટમાં કોઈને દોષ ન દીધો: મૃતદેહના રાજકોટમાં અંતિમ સંસ્કાર


વોઈસ ઓફ ડે, રાજકોટ

દિલ્હી ખાતે એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં નોકરી કરતા અને તાજેતરમાં જ ન્યુરો સર્જરીનો અભ્યાસ પૂરો કરનાર રાજકોટના ડૉ.રાજ ઘોણીયાએ તબીબ પત્નીની ગેરહાજરીમાં દવાનો ઓવરડોઝ લઈને આપઘાત કરી લેતાં ભારે ચકચાર જાગી છે. એકંદરે રાજકોટના તબીબે દિલ્હીમાં આપઘાત કરી લેતાં દિલ્હી એઈમ્સથી લઈ રાજકોટ સુધી શોકની કાલીમા વ્યાપી જવા પામી છે. આમ તો આપઘાતનું સત્તાવાર કારણ બહાર આવ્યું નથી અને પોલીસ એ જાણવા માટે તપાસ કરી રહી છે પરંતુ પ્રારંભીક રીતે ડૉ.રાજે પત્ની સાથે વારંવાર થઈ રહેલા ઝગડાથી કંટાળીને પગલું ભરી લીધાનું કારણ બહાર આવી રહ્યું છે.

શહેરના રાજનગર ચોકમાં આવેલી ત્રિપદા સોસાયટીમાં રહેતા અને છેલ્લા નવેક વર્ષથી દિલ્હીમાં રહીને ડૉક્ટર તરીકે કાર્યરત ડૉ.રાજ મનસુખભાઈ ઘોણિયા (ઉ.વ.૩૪) દિલ્હીમાં ગૌતમનગર વિસ્તારમાં આવેલા ફ્લેટમાં બેભાન હાલતમાં મળી આવતાં પોલીસે દોડી જઈ તાત્કાલિક તેમને એઈમ્સ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળેથી પોલીસને સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી જેને પણ કબજે લેવામાં આવી હતી.

વધુમાં જાણવા મળ્યા પ્રમાણે ડૉ.રાજના લગ્ન રાજકોટના જ ડૉ.રજની ઉર્ફે રીના સાથે થયા હતા. ડૉ.રજની પણ દિલ્હીની ગંગારામ હોસ્પિટલના માઈક્રોબાયોલોજી વિભાગમાં ડૉક્ટર તરીકે કાર્યરત હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસની પ્રારંભીક તપાસમાં યુગલ વચ્ચે ઝગડો ચાલી રહ્યો હોય તેનાથી કંટાળીને જ ડૉ.રાજે આ પગલું ભરી લીધું હોય શકે છે.
પોલીસે એમ પણ જણાવ્યું કે ડૉ.રાજ પાસેથી દવાની શીશીઓ અને ઈન્જેક્શન મળી આવ્યા હતા જેના થકી જ ડૉ.રાજે દવાનો ઓવરડોઝ લઈને મોત મીઠું કરી લીધું હોઈ શકે છે. જો કે તેમના મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ડૉ.રાજના પત્ની રજની રક્ષાબંધન તેમજ ભાભીના સીમંત પ્રસંગમાં હાજરી આપવા માટે ૧૩ ઑગસ્ટે દિલ્હીથી રાજકોટ આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સ્યુસાઈડ નોટમાં શું લખ્યું છે ?

ડૉ.રાજે આપઘાત કરતાં ફ્લેટમાં એક સ્યુસાઈડ નોટ ચોંટાડી હતી જેમાં તેમણે એવું લખ્યું હતું કે તેઓ પોતાની મરજીથી આ પગલું ભરી રહ્યા છે એટલા માટે કોઈને દોષિત ઠેરવવા જોઈએ નહીં અને તેમની ઈચ્છાનું માન રાખીને કોઈને હેરાન કરવામાં આવે નહીં. આ પગલાં પાછળ કોઈનો વાંક નથી અને હું આ માટે કોઈને દોષ પણ આપી રહ્યો નથી.

હું હવે ગુજરાતમાં જ રહીશ, દિલ્હી નહીં આવું એવું કહેતાં જ વિવાદ થયો હોવાનું તારણ

ડીસીપી સાઉથ દિલ્હીના જણાવ્યા પ્રમાણે ડૉ.રાજ અને ડૉ.રજનીના લગ્નને સાત વર્ષ થયા છે પરંતુ ક્યારેય યુગલ વચ્ચે ઝઘડો થયો હોવાની ફરિયાદ નોંધાઈ નથી. જો કે તાજેતરમાં જ બન્ને વચ્ચે દિલ્હીમાં રહેવાને લઈને માથાકૂટ થયાનું પ્રારંભીક રીતે જાણવા મળી રહ્યું છે. ડૉ.રજની દ્વારા ડૉ.રાજને તે હવે દિલ્હી નહીં આવે અને ગુજરાતમાં જ રહેશે તેવું કહેતાં વિવાદ વકર્યો હોવાનું લાગી રહ્યું છે. જો કે આ માટે ડૉ.રજનીની પૂછપરછ કર્યા બાદ વધુ વિગતો જાહેર કરાશે.

૧૫ દિ’ પહેલાં જ યુએસથી અભ્યાસ પૂર્ણ કરી દિલ્હી આવ્યા’તા

તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે ડૉ.રાજ ઘોણીયા ૧૫ દિવસ પૂર્વે જ અમેરિકાથી પ્રેક્ટિસ પૂર્ણ કરીને દિલ્હી પરત ફર્યા હતા. એઈમ્સમાં ન્યુરો સર્જન તરીકે કાર્યરત થયા બાદ તેઓ નિયમિત રીતે ફરજ પર હાજર રહેતા હતા અને તેમના હાવભાવ પરથી કોઈ કહી શકતું ન હતું કે તેઓ આ પ્રકારનું પગલું ભરી લેશે.

ડૉ.રાજના પિતા દૂરદર્શનના કર્મચારી

ડૉ.રાજના પિતા મનસુખભાઈ ઘોણિયા દૂરદર્શનના કર્મચારી હોવાનું જાણવા મળી રહ્યું છે. પુત્રના મોતના સમાચાર સાંભળી તેઓ પણ હતપ્રભ થઈ ગયા હતા. બીજી બાજુ ડૉ.રાજનો મૃતદેહ દિલ્હીથી રાજકોટ લાવવામાં આવ્યો હતો અને રાજકોટમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Tags:

Delhi AIIMSgujaratgujarat newsrajkotrajkot doctorsuicide

Share Article

Other Articles

Previous

રાજકોટ : મનપાના પૂર્વ TPO સાગઠીયા વિરૂદ્ધ એસીબી દ્વારા નોંધાયેલા અપ્રમાણસર મિલ્કતના કેસમાં સ્પે પી.પી. તરીકે જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાની નિમણૂક

Next

રાજકોટ અમદાવાદ હાઈ-વે ઉપર ઢોરનો અડ્ડો: જવાબદારીની ફેંકાફેંકી !!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
14 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
14 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
14 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
15 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

ક્યારે થશે મોદી સરકારની પરીક્ષા ? જુઓ
નેશનલ
12 મહિના પહેલા
ICC Champions Trophy : PoKમાં નહીં જાય ચેમ્પિયન્સ ટ્રોફી !! ICCએ પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરકારી નોકરી વિશે શું ટકોર કરી…વાંચો
ગુજરાત
1 વર્ષ પહેલા
રાજકોટ : તરુણીને સ્નેપચેટથી ફસાવી યુવકે દુષ્કર્મ આચર્યું , અપહરણ કરી નરાધમે દેહ પીંખ્યો !!
ક્રાઇમ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર