R.K.C,મોદી,તપોવન,ભરાડ સહિત રાજકોટની 25 સ્કૂલોને DEOની નોટિસ : યોગ્ય ખુલાસો નહિ આપે તો દંડ કરાશે
રાજકોટની R.K.C,તપોવન,મોદી,ભરાડ સહિત 25 સ્કૂલોને ફાયરસેફટી,ચોક્કસ દુકાનેથી યુનિફોર્મ ખરીદી,વેકેશનમાં શિક્ષણકાર્ય ચાલુ રાખવા સહિત મુદ્દે DEOએ નોટિસ ફટકારી કાર્યવાહી શરૂ કરી છે.વાલી અને વિધાર્થી મંડળની ફરિયાદો બાદ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી એક્શન મોડમાં આવ્યા હોય તેમ નોટિસ આપીને ખુલાસા પૂછવામાં આવ્યા છે જે શાળાઓ દ્વારા ખુલાસા નહીં આપવામાં આવે તો નિયમ મુજબ દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગે માહિતી આપતા રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, વેકેશનના સમયમાં અમુક શાળાઓ દ્વારા શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યો હતો તેવી ફરિયાદો વાલીઓ દ્વારા અમને મળી હતી, જ્યારે ઘણી સ્ફુલોમાં ફાયર એનઓસી હજુ સુધી લેવાયુ નથી, જ્યારે ચોક્કસ દુકાનેથી વિદ્યાર્થીઓને પુસ્તકો, યુનિફોર્મ અને સ્ટેશનરી સહિતની વસ્તુઓ ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોય તેવી ફરિયાદો ઊભી થઈ હતી. એક અઠવાડિયામાં 42 જેટલી સ્કૂલની તપાસ કરવામાં આવતા તેમાંથી 25 જેટલી સ્કૂલ દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ થતી હોવા થી તેમને નોટિસ ફટકારવામાં આવે છે અને આ બાબતે કારણ દર્શાવવા જણાવ્યુ છે.

આ 25 સ્કૂલ પાસે નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો છે ત્યારબાદ તેમના સંચાલકોને હિયરિંગ માટે બોલાવવામાં આવશે,બાદમાં દંડ અને પેનલ્ટીની કાર્યવાહી થશે. 25 માંથી 17 સ્કૂલ એવી છે કે જેને યુનિફોર્મ અને પાઠ્યપુસ્તક માટે નોટિસ અપાય છે બાકી અલગ અલગ મુદ્દાઓ પર બીજી સ્કૂલોને નોટિસ આપી છે.
આ પણ વાંચો : રાજકોટમાં કાયમી DEO આપો: શિક્ષણ સંઘે ફરી એક વખત બાંયો ચડાવી
કઈ કઈ શાળાઓને ફટકારાઈ નોટિસ..?
- શ્રી મહાત્મા ગાંધી સ્કૂલ
- ઉડાન સ્કૂલ
- વાસુદેવ વિદ્યાલય સ્કૂલ
- વિદ્યા આરાધના સ્કૂલ
- મોદી સ્કૂલ
- સર્વોદય સ્કૂલ
- તપોવન સ્કૂલ
- ભરાડ સ્કૂલ
- ખોડિયાર હાઈસ્કૂલ
- ક્રિષ્ના વિદ્યાલય
- જ્ઞાનદીપ વિદ્યાલય
- શુભમ ગ્લોબલ સ્કૂલ
- વિપુલ વિદ્યાલય
- રામકૃષ્ણ વિદ્યાલય
- નિલરાજ શૈક્ષણિક સંકુલ
- રાજકુમાર સ્કૂલ
- કિલોલ પ્રાથમિક શાળા
- વિનય મંદિર સ્કૂલ
- સહજાનંદ વિદ્યા સંકુલ
- ઉમા શાળા – સરધાર
- રાધિકા શાળા – ત્રમ્બા