‘ગેંગ્સ ઓફ ગુજરાત’નો સફાયો ચાલુ જ રાખો : સુરક્ષા જોખમાય તે ચલાવી લેવાશે નહીં, લુખ્ખા તત્વોને DGPએ આપી ચેતવણી
રાજ્યના પોલીસ વડા દ્વારા આજે ગોધરા ખાતે મળેલી ઉચ્ચસ્તરીય પોલીસ અધિકારીઓની ક્રાઈમ કોન્ફરન્સમાં ગુંડાઓ, અસામાજિક તત્વો સામેની ઝૂંબેશ કામચલાઉ નહીં કાયમીપણે રાખવા અને લુખ્ખાઓને કાયદાનો પાઠ ભણાવવા તાકિદ કરાઈ છે. ૧૦૦ કલાકની કામગીરી નિરંતર રાખવા અને પોલીસ પ્રત્યે પ્રજાનો આદર વધે તેવો પ્રજાલક્ષી કાર્યવાહી કરવાનો નિર્દેશ કરાયો હતો.
અમદાવાદમાં વસ્ત્રાલની ઘટના અને રાજ્યમાં સામાન્ય જનથી લઈ પોલીસ પર થઈ રહેલા હુમલાઓ બાદ રાજ્યભરમાં અસામાજિકતત્વો, ગુંડાઓ સામે કડક કાર્યવાહી કરવાના ડીજીપી વિકાસ સહાય દ્વારા ગત શનિવારે તા.૧૫ના તા.૧ રોજ આદેશ છોડાયા હતા અને એ મુજબની રાજ્યમાં શહેર-જિલ્લામાં પોલીસ કમિશનર, રેન્જ આઈજી, એસપીના વડપણ હેઠળ કામગીરી આરંભાઈ છે. લિસ્ટેડ ગુનેગારો, આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બૂલડોઝર ફરી રહ્યા છે. વીજ કનેકશનો કટ કરીને ગુનાઓ પણ નોંધાઈ રહ્યા છે. ડીજીપી વિકાસ સહાયના ૧૦૦ કલાકના આદેશના ચાર દિવસ બાદ આજે ગોધરા ખાતે ડીજીપીના વડપણ હેઠલ ચારેય મહાનગરના પોલીસ કમિશનર, તમામ રેન્જના આઈજી, અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે રાજ્યસ્તરની ક્રાઈમ કોન્ફરન્સ મળી હતી જેમાં રાજ્યમાં કાયદો-વ્યવસ્થા વધુ સુદૃઢ કેમ બને તેવા મુદ્દાઓ પર વિશેષ છણાવટ થઈ હતી.
૧૦૦ કલાકની કાર્યવાહી બાબતના રિપોર્ટ અને કામગીરીની સમીક્ષા થઈ હતી. ડીજીપી દ્વારા એવી સૂચના અપાઈ હતી કે અસામાજિક તત્વોનો જે ડેટા એકત્રીત કરાયો છે તે બધા પર કાયમીપણે પોલીસની નજર રહે અને આવા તત્વો કન્ટ્રોલમાં રહે, નેસ્તનાબૂદ થાય તે દિશામાં કાર્યવાહી થવી જોઈએ.
જે રીતે અત્યારે રાજ્યમાં શહેર-જિલ્લાઓમાં ગુનેગારો આવા તત્વોના ગેરકાયદે બાંધકામો મિલકતો સ્થાનિક તંત્ર પાલિકા, મહાપાલિકા, વીજ કંપનીઓને સાથે લઈને થઈ રહ્યા છે તે કામગીરી પ્રત્યે ડીજીપી દ્વારા સંતોષ વ્યક્ત કરાયો છે અને ૧૦૦ કલાક બાદ પણ લિસ્ટેડ ગુનેગારો છે તેમની સામે અને તેમના ગેરકાયદે કામો પર અવીરત ઘોંસ બોલાવવા પણ સૂચિત કરાયા છે. જો લુખ્ખાઓ, ગુનેગારો સામે કંડક હાથે કામ લેવાશે તો રાજ્યમાં શાંતિના માહોલ સાથે પ્રજાનો વિશ્વાસ પોલીસ પર કાયમ રહેશે. જો ક્યાંય કોઈ અસામાજિકો કે ગુનેગારો સાથે કોઈ પોલીસના કોઈપણ પ્રકારના કનેકશન નીકળશે તો તેની સામે પણ કાર્યવાહી થશે તેવા નિર્દેશ પણ અપાયા હોવાનું જાણવા મળે છે.
કોર્ટમાં પુરાવા, સાક્ષીઓ કેસ સંદર્ભ વિગતો બાબતે અલગ ટીમો બનાવયા પણ સૂચના
રાજ્યમાં અસામાજિક તત્વો સામે આક્રમક બનેલા ડીજીપી દ્વારા આવા ઈસમોની આર્થિક કમર તોડવા જે રીતે તેમની ગેરકાયદે પ્રોપર્ટીઓ છે તે હટાવવા કાર્યવાહી કરવા આદેશ કર્યા છે તેમજ જે આવા તત્વો જામીન પર છે તેમને જો કોઈ શરતોનો ભંગ કર્યો હોય તો તેમના જામીન રદ કરાવવા પણ પોલીસને સૂચિત કરી છે. સાથે સાથે ક્રાઈમ કોન્ફરન્સમાં અધિકારીગણને અન્ડર ટ્રાયલ કેસમાં આવા તત્વોને સજા પડે તે તરફની કાર્યવાહી કરવા-કરાવવા પર પણ ભાર મુક્યો હતો.
આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બૂલડોઝર ફરી રહ્યા છે. વીજ કનેકશનો કટ કરીને ગુનાઓ પણ નોંધાઈ રહ્યા છે. ડીજીપી વિકાસ સહાયના ૧૦૦ કલાકના આદેશના ચાર દિવસ બાદ આજે ગોધરા ખાતે ડીજીપીના વડપણ હેઠલ ચારેય મહાનગરના પોલીસ કમિશનર, તમામ રેન્જના આઈજી, અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે રાજ્યસ્તરની ક્રાઈમ કોન્ફરન્સ મળી હતી જેમાં રાજ્યમાં કાયદો-વ્યવસ્થા વધુ સુદૃઢ કેમ બને તેવા મુદ્દાઓ પર વિશેષ છણાવટ થઈ હતી.
૧૦૦ કલાકની કાર્યવાહી બાબતના રિપોર્ટ અને કામગીરીની સમીક્ષા થઈ હતી. ડીજીપી દ્વારા એવી સૂચના અપાઈ હતી કે અસામાજિક તત્વોનો જે ડેટા એકત્રીત કરાયો છે તે બધા પર કાયમીપણે પોલીસની નજર રહે અને આવા તત્વો કન્ટ્રોલમાં રહે, નેસ્તનાબૂદ થાય તે દિશામાં કાર્યવાહી થવી જોઈએ.
જે રીતે અત્યારે રાજ્યમાં શહેર-જિલ્લાઓમાં ગુનેગારો આવા તત્વોના ગેરકાયદે બાંધકામો, મિલકતો સ્થાનિક તંત્ર પાલિકા, મહાપાલિકા, વીજ કંપનીઓને સાથે લઈને થઈ રહ્યા છે તે કામગીરી પ્રત્યે ડીજીપી દ્વારા સંતોષ વ્યક્ત કરાયો છે અને ૧૦૦ કલાક બાદ પણ લિસ્ટેડ ગુનેગારો છે તેમની સામે અને તેમના ગેરકાયદે કામો પર અવીરત ઘોંસ બોલાવવા પણ સૂચિત કરાયા છે. જો લુખ્ખાઓ, ગુનેગારો સામે કડક હાથે કામ લેવાશે તો રાજ્યમાં શાંતિના માહોલ સાથે પ્રજાનો વિશ્વાસ પોલીસ પર કાયમ રહેશે. જો ક્યાંય કોઈ અસામાજિકો કે ગુનેગારો સાથે કોઈ પોલીસના કોઈપણ પ્રકારના કનેકશન નીકળશે તો તેની સામે પણ કાર્યવાહી થશે તેવા નિર્દેશ પણ અપાયા હોવાનું જાણવા મળે છે.