શિક્ષણજગતને શર્મસાર કરતી ઘટના : રાજકોટની સ્કૂલમાં ચાર વર્ષની બાળકીને મહિલા શિક્ષકે ગુપ્ત ભાગે પહોંચાડી ઇજા
રાજકોટના રેલવનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં એચ.કે.જી.માં અભ્યાસ કરતી પીજીવીસીએલના અધિકારીની ચાર વર્ષીય માસૂમ પુત્રીના ગુપ્ત ભાગે ઇજા કર્યાનો પાંચ દિવસ પૂર્વેનો મામલો આજે પ્ર.નગર પોલીસ મથકે પહોંચ્યો છે. ભોગ બનનારના માતા-પિતા તેમજ જેની સામે આક્ષેપ મુકાયો છે તે મહિલા શિક્ષિકા સહિતનાને પૂછતાંછ માટે પોલીસ મથકે લઈ આવી ફરિયાદ નોંધવા તજવીજ હાથી ધરી છે.
રેલનગર વિસ્તારમાં રહેતા વીજવિભાગના અધિકારીની ચાર વર્ષની પુત્રી હાયર કે.જી.માં કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. બાળકીના પિતાના કહેવા મુજબ ગત તા.11ના રોજ પુત્રીએ સ્કૂલેથી ઘરે આવી તેના નીચેના ભાગે (ગુપ્ત જગ્યાએ) દુઃખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. પત્ની (બાળકીની માતા)એ એ દિવસે બહું ધ્યાન આપ્યું ન હતું. બીજા દિવસે સ્કૂલેથી આ આવી ત્યારે ફરી ફરી દુ દુ:ખતુ હોવાનું તેની માતાને કપડા ઉતારીને કહેતા બાળકીના એ ભાગને માતાએ ચેક કાર્યો હતો. એ ભાગમાં પરૂ જેવુ અને ઇજા થઈ કે ચિકાસ હોય એવુ દેખાયુ હતું. જેથી જામનગર રોડ પર ડો.ચાંદ્રાણીને ત્યાં સારવારમાં લઇ જવાઇ હતી.
જવાઈ હતી અને ત્યાંથી ઝનાના હોસ્પિટલમાં ટ્રાન્ફર કરાઈ હતી. જે તે સમયે પોલીસ આવી હતી પરંતુ ફરિયાદ લીધી ન હતી. બાળકીને તેના કલાસ ટીચર મિતલ મેડમે પેન કે આવી વસ્તુથી ઈજા પહોંચાડયાનું બાળકીના પિતાએ જણાવ્યું હતું.
ઘટના સંદર્ભે એન્ટ્રીની તપાસ કરનાર પ્રદ્યુમનનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગરચરના કહેવા મુજબ એન્ટ્રી બાબતે હોસ્પિટલે જઈને બાળકીના પિતાની પૂછપરછ કરાઈ કરાઈ હતી. તેમણે પુત્રીને નીચેના ભાગે ઈજા થઈ હોવાનું અને મિતલ મેડમે આવુ કર્યાનું નામ આપ્યુ હતુ. જે તે સમયે પોલીસ ફરિયાદનું કહેતાં એવુ કહ્યુ કે પી.આઈ. સાહેબ જાણીતા છે તેમની સાથે વાત થઈ છે અત્યારે ફરિયાદ કરવી નથી.
બાળકીના પિતાએ ફરિયાદ ન લેવાઈ હોવાના કરેલા આક્ષેપો બાબતે પી.આઈ. વિક્રમ વસાવાના કહેવા મુજબ એ સમયે જ કહેવાયુ કતું પણ ફરિયાદ આપી ન હતી. આજે ફરિયાદી ભોગ બનનાર બાળકીના પરિવાર જેના પર આક્ષેપો કરાયા છે તે મિતલ ટીચર સ્કૂલ પ્રિન્સિપાલ સહિતના પૂછપરછ માટે પોલીસ મથકે લઇ અવાયા છે. પુછતાછ કરાઈ છે. સત્ય શું છે એ તો બાળકીનો પરિવાર, સ્કૂલ સંચાલકો, ટીચર ટીચર અને પોલીસ જાણતી હશે બાકી બનાવ ભારે ચર્ચા જગાવી છે.
બાળકીને આંખે પાટા બાંધીને ટીચર પાસે લઇ જઇને માર માર્યો
બાળકીના પિતાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે બનાવ બાબતે સોમવારે સ્કૂલે જઈને રજૂઆત કરાઈ હતી. પ્રિન્સિપાલ કહે તપાસ કરશું. બીજા દિવસે બાળકીની એકઝામ હતી. ફરી સ્કૂલે જતાં ત્યાં પુત્રીને ટીચર પાસે લઇ જવાની અમે ના કહી છતાં પુત્રીને આંખે પાટા બાંધીને ત્યાં લઇ ગયા અને પગના ભાગે પુત્રીને માર માર્યો હતો. અમોને સી.સી.ટી.વી. માત્ર એક વખત જ બતાવ્યા હતા.
ડી.ઈ.ઓ.ની ચાર ટીમ સ્કૂલે તપાસ પર જશેઃ સત્ય હશે તો એકશન
સમગ્ર ઘટના સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારી કિરીટસિંહ પરમારનો વીઓડી દ્વારા સંપર્ક સાધતા તેમના કહેવા મુજબ આવતીકાલે ચાર ટીમ દ્વારા સ્કૂલ પર જઈને જે ઘટનાની વાત છે તેની તપાસ કરાશે. સી.સી.ટીવી તેક કરવામાં આવશે. જો બનાવમાં કોઈ તથ્ય હશે કે આવુ કાંઈ તપાસમાં બહાર આવશે તો નિયમ મુજબ શિક્ષાત્મક પગલા લેવાશે.
કલાસ ટીચર છે એટલે બાળકી ઓળખે, સીસીટીવી બતાવ્યા છેઃ પ્રિન્સિપાલ
બનાવ અને આક્ષેપો સંદર્ભે સ્કૂલના પ્રિન્સિપાલ ડોબરીયા ભૂમિતભાઇએ જણાવ્યુ હતું કે બાળકીને યાં કારણે ઇજા થઇ તે ખ્યાલ નથી. બાળકી મિતલ મેડમને તેના સ્કૂલ ટીચર છે એટલે ઓળખે કે અંગુલી નિર્દેશ કર્યા હશે. ટીચરને પુછતાં તેમણે પણ આવુ કંઇ ન કર્યાનું જણાવ્યુ છે. અમે બાળકીના પરિવારે એક વખત સી.સી.ટીવી જોવા આવ્યા હતા તો બતાવ્યા હતા. બીજી વખત કોઈ આવ્યા નથી અને હજુ જયારે જોવા હોય ત્યારે સ્કૂલ પર સી.સી.ટીવી છે જ. અમે પૂરતો સહકાર આપવા તૈયાર છીએ. બાળકીના કલાસ ટીચર મિતલબેને પણ પોતે આવુ કશું ન કર્યાનો બચાવ કર્યો છે.