યાત્રાધામ શામળાજીમાં મંદિર ખાતે લેસર લાઇટિંગ અને સાઉન્ડનું અનોખું આકર્ષણ જોવા મળ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક સ્થાનોની શોભા અને ભક્તોની શ્રદ્ધા વધારવા ગ્રાન્ટ અપાતી હોય છે. તે મુજબ યાત્રાધામ શામળાજીમાં પણ સરકાર દ્વારા લેસર લાઇટિંગ અને સાઉન્ડ માટે ગ્રાન્ટ ફળવાઈ હતી.
તે મુજબ મંદિર પર રાત્રિ દરમિયાન લેસર લાઇટિંગ અને સાઉન્ડ શરૂ કરાયું, મંદિર પર લેસર લાઇટિંગ દ્વારા ભગવાન વિષ્ણુ અને ભગવાન શામળિયાના કલરફુલ દર્શન અનોખું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કલરફુલ ભગવાનના સ્વરૂપના મંદિર પર અદભુત દર્શનનો નજારો જોવા મળ્યો હતો સાથે ભક્તિ ગીતોના સંગીતે ભક્તોના મન મોહી લીધા હતા.
ધાર્મિક દેવી દેવતાઓના મંદિરોમાં ભક્તોને ભગવાનના આકર્ષક દર્શન અને મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક આકર્ષણ વધે તે માટે શામળાજી મંદિરમાં અદ્ભુત લાઈટ-સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. શામળાજી મંદિર કલરફુલ ભગવાન શામળિયા અને વિષ્ણુના દર્શન સાથે રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું.