કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
કચ્છના નખત્રાણાની દેવપર યક્ષ પ્રાથમિક શાળામાં ધોરણ-6ના હિન્દુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપથી ભારે વિવાદ સર્જાયો છે. આ ઘટનાને પગલે વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી જઈ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જ્યારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ તટસ્થ તપાસના આદેશ આપી વિગતવાર રિપોર્ટ મંગાયો છે.
આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને નખત્રાણા પોલીસનો કાફલો તાત્કાલિક શાળાએ પહોંચ્યો હતો અને મામલાને શાંત પાડવા અને સત્યતા જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કુમળી વયના બાળકોને ટાર્ગેટ કરીને નમાઝ પઢાવડાવી દિમાગમાં સંગઠનહિંદુ વિરોધી ઝેર ભરવાનો કે આવો કોઈ ઈરાદો હતો કે કેમ તેવા હિંદુ સંગઠનો દ્વારા આક્ષેપ સાથે તપાસની માંગ કરી છે. પોલીસે પણ સમગ્ર મામલે સત્ય શું છે તે જાણવા બાળક તેમજ અન્યોની પૂછપરછ સાથે વિગતો મેળવવા કવાયત કરી છે.
આ પણ વાંચો:આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
આ ઘટનાના પડઘા જિલ્લા શિક્ષણ વિભાગમાં પણ પડ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે તટસ્થ અને ઊંડાણપૂર્વકની તપાસના આદેશ આપ્યા છે. આવું ક્યાં કારણોસર થયું, આવું કરાવનાર કોણ ?કઈ રીતે બન્યું, તે અંગે વિગતવાર રિપોર્ટ માંગવામાં આવ્યો છે. જો આવું કઈ બન્યું હોય તો ખરેખર તપાસનો વિષય કહેવાય.
