જસદણના ખેડૂત પાસે 15 ટકા વ્યાજ વસૂલી ધમકીઓ આપતા વ્યાજખોર સામે કાર્યવાહી
- જમીનનો સાટાખત કરાવી ત્રાસ આપતા ચાર વ્યાજકવાદીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો
વોઇસ ઓફ ડે રાજકોટ
જસદણમાં વ્યાજખોરોએ યખેડૂત પાસેથી 15 ટકા વ્યાજ વસુલતાક કરી તેને મારી નાખવાની ધમકી આપી જમીનનો સાટાખત કરાવ્યો હતો અને પછી જમીન પણ લખી આપવા માટે ધમકી આપતા જસદણ પોલીસે ગુનો નોંધી તેઓની શોધખોળ આદરી છે.
વિગતો મુજબ જસદણના શિવરાજપુરમાં રહેતા અને ખેતી કામ કરતાં દિનેશ મકવાણાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપીઓમાં અશોક ઉનડભાઈ ધાધલ(રહે.જસદણ), ઉદય અશોક ધાધલ(રહે. જસદણ), મહાવીર જીલુભાઈ ખાચર(રહે. જસદણ), મહેન્દ્ર કનુભાઈ ધાધલ(રહે. દહીંસરા)નું નામ આપતા જણાવ્યું હતું કે, 4 વર્ષ પહેલા પૈસાની જરૂરીયાત પડતા તેઓએ અશોક ઉનડભાઈ ધાધલ પાસેથી 3 ટકા વ્યાજે રૂ. 1,50,000 લીધા હતા.અને દર મહીને રૂ.4500 વ્યાજ ભરતો એક વર્ષ સુધી વ્યાજ આપ્યું હતું. વર્ષ 2021માં ખેતીની બીયારણ તથા ખેતી સુધારવા માટે તેમજ અશોકભાઈને વ્યાજ ચુકવવા માટે પૈસાની જરૂરીયાત પડતાં ગામમાં રહેતા મહાવીર જીલુભાઈ ખાચર પાસેથી કટકે કટકે 2.50 લાખ 15 ટકા વ્યાજે લીધા હતા.અને દર મહિને રૂ. 37500 વ્યાજ ભરતા. વ્યાજ ચુકવી ન શકતા મહાવીર અને મહેન્દ્ર ધાધલએ કોરા ચેક માંગ્યા હતા. અને ચેકની ના પાડતા આરોપીઓએ તેમના દીકરા સાહીલને મારી નાખવાની ધમકી આપી હતી.જેથી ચેક સહી કરી આપી દીધા હતા. અને બાદમાં ત્રણ વિઘા જમીનનો વેચાણ સાટાખત કરી આપ્યો હતો.અને આરોપીઓએ ચેક ખાતામાં નાખી ચેક રિટર્નની ફરિયાદ કરી જમીન લખી આપવા ધમકીઓ આપતા હતા. જેથી જસદણ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.