સુરતના 70 હજાર જેટલા કારીગરોએ પરિવારો સાથે સામૂહિક ગુજરાત છોડ્યું!
રાજકોટમાં બંગાળી સમાજ માટે વિવાદિત ટિપ્પણી અને વિડિઓ વાયરલથી ગુજરાતમાં રહેતા બંગાળીમાં ભયનો માહોલ છવાયો છે, ત્યારે સુરતમાં પણ 70 હજાર જેટલા બંગાળી વસે છે. વીડિયોને લઇ તેમના પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળીયું છે. ઘટનાને લઇ સુરતમાં રહેતા અને જ્વેલર્સ મેકિંગનું કામ કરતા બંગાળીઓએ આજે સુરત GJEPC ખાતે બેઠક બોલાવી હતી અને ત્યાં ઘટનાને લઇ ચર્ચા કરવામાં આવી હતી અને ત્યાં હવે બંગાળી સમાજ દ્વારા પોલીસને પણ રજુઆત કરવામાં આવશે.
રાજકોટમાં હાલ ATS એ બંગાળ કેટલાક આંતકવાદીને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ મામલો ગરમાયો હતો. આ ઘટનાનો લાભ લઈ કેટલાક ટીખરખોર એ સમાજમાં અરાજકતા ફેલાવવા એક વિડિઓ બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેમાં બંગાળી લોકો માટે કેટલાક આપત્તિજનક ટિપ્પણી કરી હતી અને વિવાદ છેડાઇ તેવા શબ્દોનો પ્રયોગઃ પણ કર્યો હતો.
વિડિઓ વાયરલ થતા ગુજરાતમાં રહેતા બંગાળી લોકોમાં ભયનો માહોલ છવાયો છે તો સુરતમાં રહેતા 70 હજાર બંગાળી સમાજના લોકોમાં પણ ભય જોવા મળ્યો હતો. ઘટનાને લઇ બંગાળી સમાજના લોકોએ આજે સુરક્ષાને લઇ GJEPC ખાતે ભેગાં થઇ મિટિંગ બોલાવી હતી અને જણાવ્યું હતું કે વિડિઓ વાયરલ થતા ગુજરાતમાં રહેતા તેમના અને તેમના પરિવારમાં ભયનું મોજુ ફરી વળ્યું છે.
ઘટનાને લઇ કેટલાક લોકો હિજરત કરી રહ્યા છે તો કેટલાક લોકો હિજરત કરવાનું વિચારી રહ્યા છે. આ તમામ બાબતે સુરક્ષાને લઇ આજે બંગાળી સમાજના પ્રતિનિધિએ રજુઆત કરી હતી. સાથે જ આવનાર દિવસમાં આ બાબતે પોલીસને પણ રજુઆત કરશે.