રૂ.1100 લાખના ખર્ચે અમદાવાદ હાઈ-વેથી કુવાડવા-સરધાર રોડને જોડતો રોડ બનશે
મંજૂરી બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માનતા પ્રવિણા રંગાણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર વિકાસની ગતિ પકડી રહી છે. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) દ્વારા રૂ.૧૧૦૦ લાખના ખર્ચે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજકોટ એમદાવાદ નેશનલ હાઈવે થી કુવાડવા-સરધાર સ્ટેટ હાઈવે ને જોડતા રોડ ને મંજૂર કરવા માં આવ્યો છે.
૩૦ મિટર પહોળાઈના આ નેશનલ હાઈવેથી સ્ટેટ હાઇવેને જોડતો રોડ આજુબાજુ ના ૫૦થી વધુ ગામોના લોકોને ખૂબ જ લાભદાયી થશે. નજીકમાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ આજુબાજુમાં ઘણા બધા ઈન્ડ્રસ્ટ્રીયલ યુનિટો આવેલા હોઈ અને આ વિસ્તારના લોકોને ટૂંક સમયમાં ખૂબ સારું ડેવલોપમેન્ટ મળશે. આજુબાજુના ઉદ્યોગો, ખેડૂતો ગ્રામજનોને આ રોડની કનેક્ટિવિટી થતા ખૂબ ફાયદાઓ મળશે.સાથોસાથ અમદાવાદથી સરધાર, આટકોટ અને અમરેલી તરફ જતા રાહદારીઓએ કુવાડવા ગામની અંદર એન્ટ્રી ન લેતા ટ્રાફિકની સમસ્યામાંથી પણ રાહત મેળવશે.
આ રોડ નિર્માણ થતા સરધાર, આટકોટ અને અમરેલી નો ટ્રાફિક સીધો જ રાજકોટને સ્પર્શ થયા વગર અમદાવાદ હાઈવે તરફ વળી જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, | રાજ્ય સરકાર, પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, સંસદ સભ્યો, ધારાસભ્યો, સંગઠનના હોદેદારોનો આભાર વ્યક્ત કરતા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી એ જણાવ્યું હતું.