કેદીઓ પાસેથી પૂ.મોરારી બાપુએ ભોજનની ભિક્ષા ગ્રહણ કરી
200થી વધુ કેદી ભાઈ-બહેનોને કર્મ બંધન વિશે પ્રવચન આપ્યું : રેડિયોમાં દર 15 દિવસે રામકથા કેદીઓને સંભળાવવા જેલ પ્રશાસનને પૂ.બાપુએ કરી અપીલ : કેદીઓ વહેલી તકે જેલ મુક્ત થઈ સમાજમાં પુનઃસ્થાપિત થાય તેવા આશિર્વાદ આપ્યા
રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જામનગરના રામપર ગામે રૂપિયા 300 કરોડના ખર્ચે 5100 નિરાશ્રિત અને અશક્ત વડીલો રહી શકે એ માટે દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ નિર્માણ પામી રહ્યો છે. એના લાભાર્થે 12 વર્ષ બાદ એટલે કે 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2024 સુધી મોરારિબાપુ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે રામકથાના બીજા દિવસે પૂ. બાપુએ રાજકોટ મધ્યસ્થ જેલની મુલાકત લીધી હતી.અને કેદીઓને બાપુએ કર્મબંધન વિશે કહેતા જણાવ્યું હતું કે,જેલમાં કે મહેલમાં બધાને કર્મ બંધન લાગુ પડે છે.તેમજ કેદીઓને પીરસાતું ભોજન પૂ.બાપુએ ભિક્ષામાં લીધું હતું.અને તેને ઠાકોરજીને અર્પણ કરીને પોતે ગ્રહણ કર્યું હતું.ત્યારે 200થી વધુ કેદીઓએ બાપુના પ્રવચનનો લાભ લીધો હતો.
રાજકોટ મધ્યસ્થ જેલના બંદીવાનોના રીફોર્મેશન તથા બંદીવાનોની મેન્ટલ હેલ્થ ઇમ્પ્રુવમેન્ટ માટે જિલ્લા કાનુનીસેવા સત્તા મંડળ, રાજકોટ તથા સદ્દભાવના વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ અને જેલ અને સુધારાત્મક વહીવટનાઓની મંજુરીથી પરમ પુજ્ય શ્રી મોરારીબાપુએ રાજકોટ મધ્યસ્થ જેલની મુલાકત લીધી હતી.અને 200થી વધુ કેદીઓને પ્રવચન આપતા પૂ.બાપુએ કહ્યું હતું કે,બધા જ મનુષ્ય કર્મ બંધનમાં જોડાયેલા છે.અને બંધન ચાર પ્રકારના હોય છે.જેમાં પ્રથમ કર્મ બંધન,ઋણ બંધન,ભાવ બંધન અને સામાજિક બંધન અને આ બંધનના હિસાબે આપણે જીવનમાં ફરજિયાત કામ કરવું પડે છે.અને તેના પર આપણે ફળ પ્રદાન થાય છે.જ્યારે વધુમાં પૂ.બાપુએ કહ્યું હતું કે,સામાજિક બંધન આપણે મિત્રનું હોય છે.જેમાં તેના પર કોઈ પણ પ્રકારનું દુખ આવે તો તે નાના દુખને પણ આપણે હિમાલય જેટલું મોટું સમજીને તેની સાથો સાથ ઊભું રહેવું પડે છે.
જ્યારે પ્રવચન બાદ પૂ .બાપુએ કેદીઓને રોજિંદા પીરસવામાં આવતા ભોજનિયાની ભિક્ષા ગ્રહણ કરી હતી.અને તેને ઠાકોરજીને અર્પણ કર્યા બાદ પોતે ગ્રહણ કરી હતી.તેમજ દર 15 દિવસે જેલના રેડિયોમાં રામ કથા કેદીઓને સંભળાવવા જેલ પ્રશાસન અપીલ કરી હતી.જ્યારે તમામ બંદીવાન ભાઇઓ તથા બહેનોને કર્મના સિધ્ધાંતનો ઉદ્દેશ અને અર્થ જણાવી, બંદીવાનોને ગુના ખોરીથી દુર રહેવા તથા તમામ બંદીવાનો વહેલા જેલ મુક્ત થઈ સમાજમાં પુનઃસ્થાપિત થાય તેવા આશિર્વાદ આપ્યા હતા. આ પ્રવચન કાર્યક્રમમાં જિલ્લા કાનુનીસેવા સત્તા મંડળ, રાજકોટના પુર્ણકાલીન સચિવ કે.એમ.ગોહેલ તથા ઇ.ચા.અધિક્ષક ડી.ડી.પ્રજાપતી તેમજ સિનિયર જેલર એમ.આર.ઝાલા દ્વારા ખાસ જહેમત ઉઠાવી આયોજન કરેલ હતું. અને જેલના બંદીવાન ભાઇઓ બહેનો દ્વારા પણ પૂ.બાપુનો હૃદય પુર્વક આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.
પૂ.બાપુએ ભાવનગર જેલમાં રામકથા દરમ્યાન કરેલ રોકાણની યાદો વિશે વાત કરી
પૂ.મોરારી બાપુ રાજકોટ મધ્યસ્થ જેલમાં બંદીવાન ભાઈ-બહેનોને પ્રવચન આપતા પોતે વર્ષો પૂર્વે ભાવનગરમાં કરેલી રામ કથાની યાદો વિશે વાત કરતાં કહ્યું હતું કે,રામકથા દરમ્યાન પોતે નવ દિવસ ભાવનગરની જેલમાં રોકાણ કર્યું હતું.અને કેદીઓ સાથે રહીને સમય વિતાવ્યો હતો.કથા પૂરી કરીને પૂ.બાપુ જેલની કોઠડીમાં જતાં રહેતા અને માત્ર કથા સમયે જ જેલની બહાર નીકળતા હતા.આજે પણ ભાવનગરની જેલમાં બાપુની કોઠડી રાખવામાં આવી છે.