ગણેશ મહોત્સવમાં રોડનો વિવાદ
કરણસિંહજી હાઇસ્કૂલના મેદાનમાં બાંધકામ પછી હવે
બન્ને પક્ષો સામે સામે આવી જતાં મામલો ઉગ્ર બન્યો,પોલીસ બોલાવી પડી
ગણેશ મહોત્સવના આયોજકો દ્વારા 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું
સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ વિવાદ વચ્ચે ભુપેન્દ્ર રોડ આવેલ કરણસિંહ હાઈસ્કૂલમાં આવેલ બાલાજી હનુમાનમંદિર ફરી વિવાદમાં આવ્યું છે. ભુપેન્દ્ર રોડ આવેલ કિરણસિંહ હાઈસ્કૂલમાં ગણેશ ઉત્સવના આયોજન હતું. જોકે તે પહેલા જ અહીં વિવેક સ્વામીએ રેતી-કપચીના ઢગલા કરી જગ્યા પર કબજો જમાવી લીધોછે જેથી હવે આ પ્રકરણને લઈ ગણેશ ઉત્સવના આયોજકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બાલાજી મંદિરના સ્વામીએ વિવાદ ઉભો કર્યો છે. ગજાનંદધામ મંડળને ગણેશ ઉત્સવ ન યોજવા દબાણ કર્યું અને ગ્રાઉન્ડનું ભાડું આપ્યા બાદ આયોજન ન કરવા દેવા દબાણ કર્યું વિવેક સાગર સ્વામીના માણસોએ ગણેશ ઉત્સવ માટે તૈયાર કરેલ સ્ટેજ પણ તોડી પાડ્યું છે. જેથી સ્ટેજ તોડી પાડતા પોલીસમાં અરજી કરવામાં આવી છે.
ગણપતિ ઉત્સવને આડે હવે ગણતરીના દિવસોબાકી રહ્યા છે. ત્યારે કરણસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ગજાનંદ ધામ મંડળદ્વારા છેલ્લા 12 વર્ષથી ગણેશ ઉત્સવના પંડાલ ગોઠવી આયોજન કરવામાં આવે છે.જે પરંપરા અનુસાર આ વર્ષે પણ આયોજન હાથ ધરાયુ હતું.
જોકે વિવેક સાગરે ગણેશઉત્સવની જગ્યાએ રેતી-કપચી નાખી જગ્યા પર રોકી દીધી હતીગણેશ ઉત્સવ માટે ગ્રાઉન્ડની મંજૂરી અને ફી ધારા ધોરણ મુજબ ભરી છતાંઉજવણી રોકવાનો પ્રયાસ કરાતા સ્થાનિકો અધિરા બન્યા હતા. આ મામલે લોકોના ટોળાએકઠા થતા સ્થાનિક પોલીસ કાફલો પણ દોડી ગયો હતો. ગજાનંદ ધામ મંડળના સભ્યોએકત્ર થયા હતા અને જેસીબી થી ગજાનંદ ધામ મંડળના સભ્યોએ રેતી-કપચી દૂર કરી હતી.
મહત્વનું છે કે બાલાજી મંદિર વડતાલ સ્વામિનારાયણ મંદિર હસ્તકનું છે. સાળંગપુર મંદિર વિવાદ હજુ સમ્યો નથી ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ ગણેશ મહોત્સવ ન કરવા દઈ નવો જ વિવાદ સર્જ્યો છે.
ગણેશ મહોત્સવ કરતા આયોજકોને મંદિરના સંચાલક વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાસાધુઓ દ્વારા અટકાવતા વિરોધ થયો હતો. મોટી સંખ્યામાં લોકો એકઠા થયાં હતાં.મંદિર સંચાલકો દ્રારા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે ગણેશ મહોત્સવની મંજૂરીમેળવવાનું કહીને ટોળાંને વિખેરી નાખ્યા હતા. ગણેશ મહોત્સવના આયોજકોએ આ બાબતે અલ્ટિમેટમ આપ્યું છેજો યોગ્ય ઉકેલ નહિ આવે તો આ બાબતે નવાજૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે.