રાજકોટ : કોઠારીયામાં પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત, દીકરા-દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટ શહેરમાં કોઠારીયા સોલ્વન્ટમાં શીતળાધારમાં 25 વારિયા ક્વાર્ટરમાં રહેતી મૂળ યુપીની ગીતાબેન બબલુભાઈ પાલ (ઉ.વ.31) નામની પરિણીતાએ આજથી સાતેક મહિના પહેલા ઘરે હતી ત્યારે એસિડ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી બાદમાં સ્વસ્થ થતાં રજા આપી દેવામાં આવી હતી. ફરી તબિયત બગડતા સિવિલના આઈસીયુમાં દાખલ કરવામાં આવતા તેણીએ ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. મૃત્યુ પામનારના ગીતાબેનના લગ્ન થયાને આઠેક વર્ષ થયા હતા સંતાનમાં એક દીકરો દીકરી છે. પતિ લોખંડનું વેલ્ડિંગ કામની મજૂરી કરે છે. દંપતી વચ્ચે રસોઈ બનાવવા બાબતે ઝગડો થતા મહિલાએ તેનું ખોટું લગાડી એસિડ પી લીધું હતું. બનાવના પગલે આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.