Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સંયુક્ત પરિવારમાં રહેતા મેયર માટે હવે આખું રાજકોટ પરિવાર’

Fri, September 15 2023

રાજકોટના પ્રથમ' નાગરિક એવા મેયર નયનાબેન પેઢડિયાનોપ્રથમ’ ઈન્ટરવ્યુ
જ્યાં સુધી મેયરપદે કાર્યરત છે ત્યાં સુધી પોતાના કૂવાડવા રોડ પર આવેલાસૂચિત’ મકાનમાં જ રહેવાનું પસંદ કરશે, મેયર બંગલે રહેવા માટે નહીં જાય કેમ કે ત્યાં જાય તો દેરાણી-સાસુથી અલગ રહેવું પડે !


મેયર બન્યા પછી જવાબદારી વધી પણ રૂટિન' નહીં બદલાય, સવારે ૫:૩૦ વાગ્યે જાગીને શ્વાનને રોટલો, પક્ષીઓને ચણ'ને આંગણું વાળવાનું નહીં ચૂકાય: રાજકારણમાં મારો કોઈ જ હરિફ નથી

અઢી વર્ષની અંદર રાજકોટને કાયમ માટે યાદ રહી જાય તેવા વિકાસ કામોની ભેટ આપવાની નેમ: નળ-ગટર-લાઈટ-સફાઈ-પાણી ઉપરાંત પેન્ડીંગ રહેલા પ્રોજેક્ટને ઝડપથી આગળ ધપાવાશે

રાજકોટ મહાપાલિકાના ૨૨મા મેયર તરીકે લેઉવા પટેલ સમાજમાંથી આવતા વૉર્ડ નં.૪ના નગરસેવિકા નયનાબેન વિનોદભાઈ પેઢડિયાની પસંદગી કરવામાં આવી છે. ખેડૂત પરિવારમાંથી આવતાં નયનાબેન પેઢડિયાએ ચાર્જ સંભાળતાની સાથે પોતાનોપ્રથમ’ ઈન્ટરવ્યુ વૉઈસ ઑફ ડે'ને આપ્યો છે જેમાં તેમણે મુક્તમને ચર્ચા કરીને અઢી વર્ષની ટર્મ દરમિયાન રાજકોટ માટે શું કરવા માંગે છે, કેવા વિકાસકામોની ખેવના ધરાવે છે સહિતના મુદ્દે પ્રકાશ પાડ્યો હતો. મેયર નયનાબેન પેઢડિયાએ વૉઈસ ઑફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે સૌથી પહેલાં તો હું સંયુક્ત પરિવારમાં રહેવા માટે માનું છું અને મારી એ જ પસંદ છે એટલા માટે હવેથી તો આખું રાજકોટ મારો પરિવાર બની ગયો છે. રાજકોટના કોઈ પણ વિસ્તારની વ્યક્તિ માટે મારી કચેરી તેમજ મારા ઘરના દરવાજા હંમેશા માટે ખુલ્લા રહેશે અને તેઓ ગમે ત્યારે મારો સંપર્ક કરીને મદદ માંગી શકશે. હું અત્યારે પતિ-પુત્રો-સાસુ-દિયર-દેરાણી સહિતના આઠ લોકોના સંયુક્ત પરિવાર સાથે મારા વૉર્ડ નં.૪માં આવેલા કૂવાડવા રોડ પરના મીરા પાર્કના `સુચિત’ મકાનમાં રહું છું. મેયરની રૂએ મને સત્તાવાર બંગલો મળે છે પરંતુ જો હું ત્યાં રહેવા જઈશ તો મારે પરિવારથી અલગ રહેવું પડશે એટલા માટે હું મારા જૂના ઘરમાં જ રહેવાનું પસંદ કરીશ અને પક્ષને લગત કોઈ પણ કાર્ય હશે તો એ હું મેયર બંગલો પરથી જ કરીશ.


વધુમાં તેમણે ઉમેર્યું કે મેયર બન્યા પછી મારી જવાબદારી અત્યંત વધી જશે પરંતુ હું મારું રૂટિન નહીં બદલાવું…હંમેશની જેમ સવારે ૫:૩૦ વાગ્યે જાગીને શ્વાનને રોટલો, પક્ષીઓને ચણ અને આંગણું વાળવા સહિતની કામગીરી ક્યારેય ચૂકાશે નહીં કેમ કે આ કાર્ય હું વર્ષોથી કરતી આવી છું અને આગળ પણ કરતી જ રહીશ.


નયનાબેને જણાવ્યું કે પતિ વિનોદભાઈ પેઢડીયા જાહેરજીવનમાં સંકળાયેલા હતા એટલા માટે તેમની સાથે કાર્યક્રમમાં જતા હોવાને કારણે જાહેર જીવનમાં આવવાનો વિચાર કર્યો હતો. બસ, આ પછી તેમણે વિવિધ સંસ્થાઓ સાથે મળીને સેવાકીય કાર્યોનો શુભારંભ કર્યો અને સાથે સાથે ઘર-પરિવાર પણ સંભાળતા ગયા હતા. આ પછી તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ૨૦૨૧માં વૉર્ડ નં.૪ના કોર્પોરેટર બન્યા હતા. જો કે આ પહેલાં તેમણે અનેક લોકઉપયોગી કાર્યો તેમજ પક્ષ ઉપરાંત સંગઠનના મહત્ત્વના હોદ્દાઓ સંભાળ્યા છે.

મારું વચન છે…રાજકોટને પાણીલેસ' ક્યારેય નહીં રહેવા દઈએ મેયર બન્યા બાદ રાજકોટના લોકોને નયનાબેન પેઢડિયા પાસે સૌથી વધુ અપેક્ષા પૂરતુ અને સમયસર પાણી મળી રહે તેની રહેલી છે કેમ કે વરસાદ ઓછો પડ્યો હોવાને કારણે પાણીની અછત સર્જાવાના ભણકારા વાગવા લાગ્યા છે. આ અંગે તેમણે કહ્યું કે રાજકોટનેપાણીલેસ’ ન તો શહેર ભાજપ કે ન તો રાજ્ય સરકાર રહેવા દે કેમ કે `સૌની યોજના’ થકી શહેરને જોઈએ તેટલું પાણી આપવામાં આવી રહ્યું છે અને આવનારા સમયમાં પણ અપાશે જ…આ ઉપરાંત શહેરના રોડ-રસ્તા વ્યવસ્થિત બને તેમજ જૂના પ્રોજેક્ટ જેવા કે રામદેવ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર, આજી રીવરફ્રન્ટ સહિતના ઝડપથી પૂર્ણ થાય તે માટે પ્રયાસરત રહીશ…

સાસુ-માતા મારા સૌથી પહેલાં આદર્શ
પોતાના આદર્શ સાસુ અને માતાને ગણતા નયનાબેન પેઢડિયાએ જણાવ્યું કે આ બન્ને મહિલાઓ મારા પહેલાં આદર્શ છે. આ ઉપરાંત હું દેશના નાણામંત્રી નીર્મલા સીતારમણ તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તરપ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ તેમજ દેશ માટે જીવ ન્યોચ્છાવર કરી દેનારા રાણીઓને આદર્શ ગણી રહ્યા છે. આ મહિલાઓ પણ સામાજિક જવાબદારીની સાથે સાથે ઘરની જવાબદારી સંભાળવાનું ચૂકતા નથી એટલા માટે હું પણ બન્ને દાયિત્વ બરાબર નીભાવીશ તેવું પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

નાનપણથી જ સ્વયંસેવક તરીકે કાર્યરત: ૧૫ વર્ષ સુધી સંઘમાં નગર કાર્યવાહ સહિતની જવાબદારી નીભાવી
નયનાબેન પેઢડિયા શિશુ વયથી જ સ્વયંસેવક તરીકે કાર્યર છે. આ ઉપરાંત તેમણે સંઘમાં ૧૫ વર્ષ સુધી નગર કાર્યવાહ અને ૧૯૮૯થી ડો.હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ અને સેવા ભારતીના સેવા વિભાગ સાથે સક્રિયતાથી દવાખાના, પુસ્તકાલય શિક્ષણના વિવિધ પ્રોજેક્ટ, સ્વાવલંબન કેન્દ્ર તેમજ ૩૫ વર્ષથી વિવિધ સ્થાનિક રાષ્ટ્રીય ચૂંટણી જેવી કે વિધાનસભા, સંસદીય મત વિસ્તારમાં રમેશભાઈ રૂપાપરાથી હાલના ધારાસભ્ય ઉદય કાનગડ તેમજ ડૉ.વલ્લભભાઈ કથીરીયાથી સાંસદ મોહન કુંડારિયા સુધી ચૂંટણી પર્વ અંતર્ગત સંઘની સમન્વય બેઠકો, મતદાર જાગૃતિ અભિયાન સહિતના કાર્યો કરેલા છે.

નયનાબેન પેઢડીયાની રાજકીય કારકીર્દિ

  • ૨૦૦૧માં જૂના વૉર્ડ નં.૭ના પ્રમુખ
  • ૨૦૦૫માં શહેર મહિલા મોરચાના કોષાધ્યક્ષ
  • ૨૦૦૭માં મહિલા મોરચાના શહેરમંત્રી
  • ૨૦૦૮માં શહેર ભાજપ સંગઠન મંત્રી
  • ૨૦૧૨માં સંગઠન પર્વના સહઅધિકારી
  • ૨૦૧૫માં વૉર્ડની બુથ સમિતિની સંરચનાના સહઅધિકારી
  • ૨૦૧૧માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય
  • ૨૦૧૨માં ભાજપ સંગઠન પર્વના સહ ઈન્ચાર્જ
  • ૨૦૧૭માં શહેર મહિલા મોરચાના પ્રમુખ
  • ૨૦૨૧માં વૉર્ડ નં.૪ના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય
  • ૨૦૨૩માં મેયર

નયનાબેન પેઢડિયાને ટૂંકો પરિચય
જન્મ: તા.૭-૩-૧૯૭૨
અભ્યાસ: એમ.એ.બીએડ
જ્ઞાતિ: લેઉવા પટેલ
વય: ૫૧
બ્લડ ગ્રુપ: એબી+
ફોન નં.૯૪૨૮૨ ૩૩૧૨૬
પતિનું નામ: વિનોદભાઈ પેઢડિયા (અભ્યાસ: ગ્રેજ્યુએટ)
સંતાન: બે પુત્ર ધૈર્ય અને હર્ષ

જો હું જાહેર જીવનમાં ન હોત તો સમાજ સેવા કરતી જ હોત: વાંચનનો અત્યંત શોખ
નયનાબેને કહ્યું કે જો હું જાહેર જીવનમાં ન આવી હોત તો સમાજ સેવા જરૂર કરતી હોત. મને ફ્રી સમયમાં વાંચનનો બહુ જ શોખ છે એટલા માટે હું મારી સાથે હંમેશા પુસ્તકો રાખું જ છું. આ ઉપરાંત મને ભોજન બનાવવાનું બહુ જ ગમે છે એટલા માટે અલગ-અલગ પ્રકારની રસોઈ પરિવારને જમાડું છું. આ ઉપરાંત વૉર્ડ નં.૪માં ગૌશાળા નિર્માણનું કાર્ય કર્યું છે એ હંમેશા મને યાદગાર રહેશે. રાજકારણમાં અત્યારે મારું કોઈ હરિફ નથી અને હું આ વાતમાં માનતી પણ નથી. મને મારા પક્ષ તેમજ સંગઠન અને સાથીઓનો પૂરતો સહયોગ મળી રહ્યો છે.

Share Article

Other Articles

Previous

રાજકોટની સસ્તા અનાજની દુકાનોમાં તહેવાર નિમિત્તેનો જથ્થો હજુ પહોંચ્યો નથી

Next

ભારતીનગરમાં પત્નીએ પતિને છરીના ઘા ઝીંક્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
5 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
6 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
6 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
6 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

રાજકોટ : યુ.ડી.કલબ દ્વારા ઉમા ડાયનેમિક નવરાત્રી મહોત્સવનું આયોજન
ગુજરાત
9 મહિના પહેલા
ડાલામથ્થા માથે તરાપ  ! ગીરમાં ઇકો સેન્સેટિવ ઝોનમા ઘટાડો
ગુજરાત
8 મહિના પહેલા
New Rule: 1 માર્ચથી LPG-UPI સહિત આ 5 નિયમો બદલાશે, જાણો તમારા ખિસ્સા પર તેની શું અસર થશે, વાંચો
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
GST કૌભાંડનો આંક કરોડે પહોંચશે: વધુ સાત પકડાયા
રાજકોટ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર