નવેમ્બરમાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન
એરપોર્ટ ઓથોરિટી,સી.આઈ.એસ.એફ અને એરલાઇન્સના અધિકારીઓ દિલ્હીમાં:બ્યુરો સિક્યુરિટીના ડાયરેક્ટરએ સમીક્ષા કરી:90 ટકા કામ પૂર્ણ
આગામી નવેમ્બર મહિનામાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન થશે, નવી બિલ્ડીંગના ઉદ્ઘાટન ને લઈને દિલ્હીમાં ઉચ્ચસ્તરિય મીટીંગ બોલાવવામાં આવી હતી જેમાં રાજકોટના એરપોર્ટ ઓથોરિટી,સી.આઈ.એસ.એફ.અને એરલાઇન્સના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.
ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટમાં હાલમાં હંગામી ધોરણે ટર્મિનલ પરથી ફ્લાઈટ ઓપરેશન ચાલી રહ્યું છે.નવા બિલ્ડીંગમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટર્મિનલની 90% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે હવે માત્ર 10% કામગીરી બાકી છે જેમાં કસ્ટમ અને ઈમીગ્રેશન નું કામ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે અગાઉ એરપોર્ટ દ્વારા ઓક્ટોબર મહિનાથી રાજકોટથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ ઉડાન કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ કામ પૂરું ન થયું હોવાથી હજુ સુધી નવું ટર્મિનલ શરૂ થયું નથી.
1400 કરોડના ખર્ચે પછી તો 2500 એકરમાં નિર્માણ પામેલું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્રણ તબક્કામાં કાર્યરત ખાતે અત્યારે પ્રથમ ફેસમાં કામમાં ચાલી રહ્યું છે આગામી વર્ષોમાં ફેસ 2 અને ફેસ 3 પર કામ શરૂ કરવામાં આવશે. એરપોર્ટ ટ્રાફિક કંટ્રોલ અને સી એન્ એસ વિભાગની નવી ઓફિસ પણ બનીને તૈયાર થઈ ગઈ છે. મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગમાં સૌરાષ્ટ્રના ઐતિહાસિક વારસો અને કલાત્મક સંસ્કૃતિની ઝાંખી કરાવતું ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યું છે.
વધુમાં મળતી વિગતો અનુસાર 60% હિસ્સો ડોમેસ્ટિક માટે 40% જેટલો ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે ફાળવવામાં આવ્યો છે. કસ્ટમ અને ઇમિગ્રેશન વિભાગ ઉપરાંત લગેજ,કન્વેયર બેલ્ટ, સહિતની કામગીરી અંતિમ તબક્કામાં હોવાનું ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત એરો બ્રિજ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે હવે મંજૂરી મળતા સાથે જ વિમાન અને ટર્મિનલ સાથે એરોબ્રિજને કનેક્ટ કરી દેવાશે. બે દિવસ પૂર્વે ડિજીસીએ, એરપોર્ટ ઓથોરિટીના અધિકારી ઓ અને ઉડયનમંત્રાલયના સભ્યોની મીટીંગ મળી હતી.આ સપ્તાહમાં બ્યુરો સિક્યુરિટી ઓફ એવીએશનના ડિરેક્ટરએ રાજકોટ એરપોર્ટની મુલાકાત લીધી હતી અને ચાલતી કામગીરીની સમીક્ષા પણ કરી હતી આગામી ટૂંક સમયમાં ડીજીસીએના અધિકારીઓ સમીક્ષા માટે આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.