રાજકોટને મહાપાલિકા ન્યુ યરમાં કેટલા દિવસ તરસ્યા રાખશે, વાંચો
૧ થી ૩ જાન્યુઆરી દરમિયાન શહેરના ૧૭ વોર્ડમાં પાણીકાપની જાહેરાત પાઇપ લાઇન રિપેરિંગ કરવાની હોવાથી નર્મદાનું નીર નહીં
મળે એટલે પાણી વગર રહેવું પડશે
સોમવારથી ૨૦૨૪નું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે પરંતુ એ જ દિવસે રાજકોટના લાખો લોકો એવા છે જેમણે તરસ્યા રહેવું પડશે ! એકંદરે મહાપાલિકા દ્વારા લોકોને તરસ્યા રાખીને નવા વર્ષની અણગમતી ભેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સોમવારથી બુધવાર સુધી શહેરના ૧૭ વોર્ડમાં મહાપાલિકા દ્વારા પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે જેના કારણે લાખો લોકોના ઘરમાં ત્રણ દિવસ સુધી પાણી મળશે નહીં.
મહાપાલિકા દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે સફાઈ તેમજ પાઈપલાઈન રિપેરિંગની કામગીરી કરવાની હોવાથી તા.૧થી ૩ સુધી વોર્ડ નં.૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪,૧૫,૧૬ અને ૧૭માં અલગ-અલગ દિવસે પાણી વિતરણ કરવામાં આવશે નહીં. આ કામગીરીને કારણે શહેરને નર્મદાનું પાણી મળી શકે તેમ ન હોવાથી લોકોએ તરસ્યા જ રહેવું પડશે.
કાલે વોર્ડ નં.૩માં રેલનગર, પોપટરા, બજરંગવાડી, હુડકો સ્લમ ક્વાર્ટર, વોર્ડ નં.૨માં ગાયત્રીધામ સોસાયટી, મોચીનગર-૧,૨, અવંતીકા પાર્ક, શિવાનંદ પાર્ક, પૂજા પાર્ક, પુનિતનગર, બજરંગવાડી, રાજીવનગર, સંજયનગર, મોમીન સોસાયટી, વસુધા સોસાયટી,, વોર્ડ નં.૧,૩ (પાર્ટ)માં ઘંટેશ્વર, માધાપર, વોર્ડ નં.૧ (પાર્ટ)માં રામેશ્વર પાર્ક, ગોવિંદનગર, આલાપ ગ્રીન સિટી, વિદ્યુનગર, જજ બંગલો સહિતના વિસ્તાર, વોર્ડ નં.૯ (પાર્ટ)માં મીરાનગર, શ્રીજી પાર્ક, સરસ્વતી પાર્ક, અંજની પાર્ક, ગાંધીનગર, હિરામણનગર સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ થશે નહીં.
આ પછી મંગળવારે વોર્ડ નં.૧૪ (પાર્ટ), ૧૭ (પાર્ટ), ૭ (પાર્ટ), ૧૪ (પાર્ટ), ૧૮ (પાર્ટ), ૯ (પાર્ટ), ૧૦ (પાર્ટ), ૧૧ (પાર્ટ) અને ૧૨ (પાર્ટ)માં પાણી વિતરણ કરવામાં આવનાર નહીં હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બુધવારે વોર્ડ નં.૧૩ (પાર્ટ), ૩ (પાર્ટ), ૨ (પાર્ટ), ૪ (પાર્ટ), ૮ (પાર્ટ), ૧૧ (પાર્ટ) સહિતના વિસ્તારોમાં લોકોએ પાણી વગર રહેવું પડશે.