રાજકોટના લોકમેળાના ફોર્મ સ્વીકારવાની મુદતમાં વધારો
રાજકોટના રેસકોર્સ મેદાનમાં સાતમ:આઠમના તહેવાર નિમિત્તે યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાતીગળ લોકમેળાની તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે ત્રિકોણબાગ તોરલ બિલ્ડિંગ ઈન્ડિયન બેન્ક ખાતેથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. મંગળવારે ફોર્મ પરત કરવાનો અંતિમ દિવસ હોવા છતાં ૩૦ ટકા ફોર્મ પણ ભરાઈને પરત નહીં આવતા ધારણા પ્રમાણે લોકમેળા સમિતિએ ૩૧ જુલાઈ સુધી ફોર્મ વિતરણ અને ફોર્મ સ્વીકારવાની મુદતમાં વધારો કર્યો છે.
સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાતીગળ લોકમેળાની તડામાર તૈયારીના ભાગરૂપે લોકમેળા સમિતિ દ્વારા ૨૨૮ સ્ટોલ અને પ્લોટ માટે ફોર્મ વિતરણ શરૂ કર્યું છે. એક સમાહથી ચાલી રહેલ ફોર્મ વિતરણ અને ફોર્મ સ્વીકારવાનો આજે અંતિમ દિવસ હતો પરંતુ સાંજના ૪ વાગ્યા સુધીમાં ૨૨૮ સ્ટોલ અને પ્લોટ સામે ૩૦ ટકા ફોર્મ ભરાઈ પરત આવ્યા છે.
આ પણ વાંચો: મણકા કેટલા નક્કર કેટલા ખોખલા? ભાગ: 2
અંતિમ દિવસે પણ સ્ટોલ અને પ્લોટ પુરતા ફોર્મ ભરાઈને પરત નહીં આવતા લોકમેળા સમિતિ દ્વારા ત્રણ દિવસ માટે ફોર્મ વિતરણ અને ફોર્મ સ્વીકારવાની મુદતમાં વધારો કર્યો છે. લોકમેળા સમિતિની યાદીમાં જણાવ્યું હતું કે, આગામી ૩૧ જુલાઈ સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે. આ મુદત વિત્યા બાદ કોઈપણ સંજોગોમાં મુદતમાં વધારો કરવામાં નહીં આવે.
વધુમાં જણાવ્યું હતું કે, રમકડાના ૧૦૦ સ્ટોલ, નાના ખાણીપીણીના ૮ પ્લોટ, મધ્યમ ચકરડીના ૩ પ્લોટ અને નાની ચકરડીના ૨૪ પ્લોટ માટે જે ડ્રો ૧ ઓગસ્ટને શનિવારે રાખવામાં આવ્યો હતો તેમાં ફેરફાર કરીને હવે કેટેગરી બી:સી:જે અને ‘કે’ના પ્લોટનો ડ્રો તા.૩:૮:ર૬ને સોમવારે જૂની કલેક્ટર કચેરી ખાતે યોજાશે. જ્યારે મોટી યાંત્રિક રાઈડ, ખાણીપીણીના મોટા સ્ટોલ અને આઈસ્ક્રીમ ચોકઠાની હરાજીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
