Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

લાખો ભક્તોની આસ્થાના પ્રતિક ચોટીલા ડુંગર પર બિરાજતા ચામુંડા માતાજી

Mon, October 9 2023

ચૈત્રી પૂનમ નિમિત્તે રાજ્યભરમાંથી અનેક ભક્તો આવે છે પગપાળા: તળેટીમાં બારે માસ ચાલતી ભોજનાલયમાં બપોરે ભક્તોને અપાય છે ભોજન-પ્રસાદ: 8માં નોરતે કરવામાં આવે છે નવચંડી યજ્ઞ

ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખર પર જોવા મળે છે ત્યારે સૌરાષ્ટ્ર સહિત ભારતભરમાં પ્રસિદ્ધ એવા ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વત પર આવેલું છે. દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહી ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો બહુ જ ત્રાસ હતો ત્યારે ઋષિ મુનિઓએ યજ્ઞ કરી માં આદ્ય શક્તિને પ્રાથના કરી અને આદ્ય શક્તિ હવન કુંડમાંથી તેજ સ્વરૂપે મહા શક્તિ પ્રગટ થયા અને તેમણે બંને રાક્ષસનો સંહાર કર્યો. ત્યારથી મહા શક્તિ ચંડી ચામુંડા તરીકે ઓળખાવવા લાગ્યા. માં ચામુંડા એ શક્તિના 64 અવતાર પૈકીનો એક અવતાર છે.

વર્ષની મુખ્ય ત્રણ નવરાત્રી મહા, ચૈત્ર તથા આસો માસમાં માતાજીના દર્શનાર્થે રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ચોટીલા આવે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તો વળી ચૈત્રી પૂનમનું ખૂબ મહત્વ હોવાના કારણે રાજ્યના અનેક શહેરોમાંથી ભક્તો પગપાળા ચોટીલા દર્શન કરવા માટે આવે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આવે છે. પગપાળા આવતા લોકો પોતાની સાથે 52 ગજની ધજા, માતાજીનો રથ લઈને આવતા હોય છે. પગપાળા આવતા લોકો માટે ઠેર-ઠેર સેવ કમ્પો પણ જુદી-જુદી સંસ્થાઓ અને મિત્ર મંડળ દ્વારા ઊભા કરવામાં આવે છે. જેમાં મેડિકલથી થી લઈને જમવા સુધીની વ્યવસ્થા રાખવામાં આવી હોય છે. આ ઉપરાંત ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા તળેટીમાં ભોજનાલય ચાલે છે જેમાં માતાજીના દર્શન કરવા આવતા ભક્તોને દરરોજ બપોરે ભોજ-પ્રસાદ આપવામાં આવે છે.

રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર ચોટીલા આવેલું હોય અહી માતાજીના દર્શનાર્થે રાજ્ય ઉપરાંત દેશભરમાંથી આવતા હોય ચોટીલા શહેરનો પણ વિકાસ થયો છે. હાઇ-વેની બંને બાજુ મોટી સંખ્યામાં હોટેલ બની છે જ્યારે તળેટી આસપાસના વિસ્તારોમાં માતાજીના હાર, ચુંદડી, પ્રસાદ સહિતની દુકાન પણ મોટા પ્રમાણમાં છે. જેના કારણે વેપારીઓને પણ રોજગારી મળી રહે છે. 

અહી એક એવું પણ કહેવામાં આવે છે કે ચોટીલા ડુંગર પર કોઈ રાત્રિ રોકાણ કરી શકતું નથી. તેની પાછળ વિવિધ માન્યતાઓ રહેલી છે. એવું પણ કહેવામાં આવે છે કે, ચોટીલા ડુંગર પર રાત્રે સિંહ આવે છે જેના કારણે કોઈ રાત રોકતું નથી. જ્યારે એવું પણ માનવામાં આવે છે કે, જો ડુંગર પર રાત્રિ રોકાણ થાય તો અહીની પવિત્રતા જળવાય નહિ માટે અહી કોઈને રાત્રિ રોકાણ કરવા દેવામાં આવતું નથી.

બોક્સ

8માં નોરતે કરવામાં આવે છે નવચંડી યજ્ઞ

નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ચોટીલા માતાજીના દર્શનાર્થે નવરાત્રી દરમિયાન પણ મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરવા માટે જાય છે. નવરાત્રિમાં અહી ઝવેરાનું સ્થાપન કરવામાં આવશે. જ્યારે 8માં નોરતે હવનાષ્ટમી એટલે કે નવચંડી યજ્ઞ કરવામાં આવે છે અને સાંજે 4 વાગ્યે બીડું હોમવામાં આવે છે. અહી માતાજીના મંદિરે વર્ષોથી નવચંડી યજ્ઞ કરવામાં આવતું હોવાનું જાણવા મળે છે.

ચામુંડા માતાજીને રણચંડી (યુદ્ધની દેવી) તરીકે પણ ઓળખવામાં આવે છે

ચામુંડા માતાજીને રણચંડી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને શક્તિની દેવી છે. માતાજીની છબીમાં જોડિયા પ્રતિકૃતિ દેખાય છે કેમ કે તેમને ચંડી-ચામુંડા પણ કહેવામાં આવે છે. જ્યારે તેમનું વાહન સિંહ છે.

Share Article

Other Articles

Previous

ભારત-પાકિસ્તાન મેચની વધુ ૧૪૦૦૦ ટિકિટ મિનિટોમાં ખતમ’

Next

ધર્મશાલા ક્રિકેટ ગ્રાઉન્ડને કારણે BCCIનો `ફજેતો’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં ભાજપના કાર્યકરોને સંબોધીને કહ્યું, 2026માં મમતા સરકારને જનતા ઉખાડીને ફેંકી દેશે
2 કલાક પહેલા
દિલ્હીમાં 76 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું, વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી
2 કલાક પહેલા
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
1 દિવસ પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

CM ભૂપેન્દ્ર પટેલ આજે જશે દિલ્હીની મુલાકાતે, કેબિનેટ બેઠક બાદ CM દિલ્હી જવા રવાના થશે
Breaking
1 વર્ષ પહેલા
દિપીકા પાદુકોણ અને નન્હી પરીને મળ્યા ‘કિંગ ખાન’ : મોડી રાત્રે પહોંચ્યો હોસ્પિટલ, વિડીયો વાયરલ   
Entertainment
9 મહિના પહેલા
રાજકોટમાં પતંગોત્સવ પૂર્વે પતંગ અને દોરાની માર્કેટમાં ખરીદીની ધૂમ : મોદી અને શાહ જોડીની જમાવટ:’પુષ્પા’ઝુકેગા નહિ ઉડેગા….
ગુજરાત
5 મહિના પહેલા
નીટ-યુજી અંગેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? હવે ક્યારે થશે સુનાવણી ? જુઓ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર