સૌરાષ્ટ્ર-કચ્છના ૨૭ ગામમાં અંધારપટ્ટ: ૭૪૯ વીજપોલ ડેમેજ
૩૭૦ ફિડર થયા બંધ થયા: વીજ પુરવઠો પૂર્વવત કરવા ટેકનિકલ ટીમની દોડધામ
સૌરાષ્ટ્ર-કચ્છમાં પડી રહેલા વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાઇ જવા પામ્યો છે. મંગરવાર સાંજ સુધીમાં વરસાદને કારણે ૨૭ ગામમાં અંધારપટ્ટ છવાઈ ગયો હતો તો બીજી તરફ ૩૭૦ ફિડર બંધ થયા હતા. અ ઉપરાંત ૭૪૯ વીજપોલ અને ૨૫ ટીસી ડેમેજ થયાનું સામે આવ્યું છે. વીજ પુરવઠો પૂર્વવત કરવા ટેકનિકલ ટીમ દોડતી થઈ હતી.
સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. પીજીવીસીએલના સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે મંગળવાર સાંજ સુધીમાં પોરબંદરના ૪, જૂનાગઢના ૬, ભુજના ૧૦, અંજારના ૪, ભાવનગરના ૩મળી કુલ ૨૭ ગામમાં વીજ પુરવઠો બંધ થયો હતો.
તો બીજી તરફ રાજકોટ ગ્રામ્ય સર્કલ ઓફિસ હેઠળ ખેતીવાડીના ૨૭, મોરબીમાં ૧૨, પોરબંદરમાં ૧૯, જૂનાગઢમાં ૫૩, જામનગરમાં ૪૪, ભુજમાં ૩૯, અંજારમાં ૧૧, ભાવનગરમાં ૫૩, બોટાદમાં ૨, અમરેલીમાં ૫૨, સુરેન્દ્રનગરમાં ૫૧ જ્યારે જ્યોતિગ્રામ યોજના હેઠળ પોરબંદર, જામનગર, ભાવનગરમાં ૧-૧ અને જુનાગઢ, ભુજમાં ૨-૨ મળી ૭ એમ કુલ ૩૭૦ ફિડર બંધ થયા છે.
આ ઉપરાંત વીજપોલ પણ ડેમેજ થવાના બનાવો સામે આવ્યા છે. જેમાં જામનગરમાં સૌથી વધુ ૩૨૯, પોરબંદરમાં ૧૨૩, અમરેલીમાં ૧૦૫, જૂનાગઢમાં ૮૦, મોરબીમાં ૧૭, રાજકોટ ગ્રામ્યમાં ૩૫, ભુજમાં ૩૬, ભાવનગરમાં ૨૨ રાજકોટ સિટીમાં ૨ મળી કુલ ૭૪૯ વીજપોલ ડેમેજ થયા હતા. તો વળી સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ ૨૫ ટીસી ડેમેજ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. વીજ પુરવઠો ખોરવાઇ જતાં પીજીવીસીએલની ટેકનિકલ ટીમો દોડતી થઈ હતી અને વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.