રાજકોટના રામ નગરમા આવ્યુ છે ભગવાન રામનુ મદિર
ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામા રામ મદિરના નિર્માણનુ કાર્ય પૂર જોશમા ચાલી રહ્યુ છે અને ભગવાન શ્રી રામ તા.૨૨ જાન્યુઆરીએ આ ભવ્ય મદિરમા બિરાજશે. તેમના દર્શન કરવાની દેશ સહિત વિદેશમા વસતા રામ ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે રાજકોટમા પણ ભગવાન શ્રી રામનુ એક ૪૬ વર્ષ જૂનુ મદિર આવેલુ છે જેના નિર્માણ માટે એક એસટી વિભાગમા નોકરી કરતા કર્મચારીએ પોતાનુ મહત્વનુ યોગદાન આપ્યુ હતુ અને જ્યા સુધી મદિરની સ્થાપના ન થઈ ત્યા સુધી ભગવો ધારણ કરીને ફર્યા હતા.
અયોધ્યામા ભગવાન શ્રી રામનુ ત્રણ માળનુ ભવ્ય મદિર બનવા જઈ રહ્યુ છે જેને લઈને દેશભરમા ઉત્સાહ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ મદિરમા ભગવાન રામના બાળ સ્વરૂપની પૂજા કરવામા આવશે. રામ મદિરની પ્રસિદ્ધ થયેલી તસવીરોમા તેના ભવ્ય ગેટ, મદિરની સુદરતા, નકશીકામ વગેરે જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે. જો કે રાજકોટમા પણ ભગવાન રામનુ મદિર આવેલુ છે જેની સ્થાપના વર્ષ ૧૯૭૭મા કરવામા આવી હતી. આ મદિર પીડી માલવિયા કોલેજ પાછળ આવેલા રામ નગરમા આવેલુ છે. આ “શ્રી રામ મદિર” વિશે માહિતી આપતા રામ નગર સેવા ટ્રસ્ટના મેનેજિગ ટ્રસ્ટી વસતભાઇ ગાદેશાએ જણાવ્યુ હતુ કે, એસટી વિભાગના કર્મચારી હરસુખભાઈ અઢિયાના અથાગ પ્રયાસને કારણે આ મદિરનુ નિર્માણ થયુ છે.

તેમણે શહેરના જુદા-જુદા વિસ્તારોમા ફરીને ફાળો એકત્ર કર્યો હતો. જ્યારે જ્યા સુધી મદિરનુ નિર્માણ ન થયુ ત્યા સુધી એમણે ભગવા કપડા ધારણ કર્યા હતા. મહત્વનુ છે કે, આ મદિર કોઈ કોમન પ્લોટમા બનાવવામા નથી આવ્યુ પરતુ જે-તે સમયે મદિરના નિર્માણ માટે રૂપિયા દઈને જમીન ખરીદવામા આવી હતી. પ્રથમ ૨૫૦ વાર જેટલી જગ્યા ખરીદવામા આવી હતી બાદમા ધીમે-ધીમે મદિરનો વિકાસ થયો તેમ વધુ જમીન ખરીદવામા આવી હતી અને હાલ આ મદિર ૪૪૮ વાર જગ્યામા પથરાયેલુ છે. આ મદિરમા રામ દરબાર ઉપરાત રાધા-કૃષ્ણ, અબાજી માતાજી અને મહાદેવજીનુ પણ મદિર આવેલુ છે. દરરોજ ભક્તો અહી ભગવાન શ્રી રામના દર્શન કરી ધન્યતા અનુભવે છે. મદિરમા સત્સગ મડળની મહિલાઓ દ્વારા દરરોજ સવારે અને સાજે રામધૂન સહિત ભજન-કીર્તન કરવામા આવે પણ કરવામા આવે છે. મહત્વનુ છે કે, જ્યારે આ મદિરમા અમે પ્રવેશ્યા ત્યારે આયોધ્યાથી આવેલા કળશને ભક્તો માટે દર્શનાર્થે મૂકવામા આવ્યો હતો. જેના દર્શન કરવા માટે મોટી સખ્યામા ભક્તોની ભીડ જોવા મળી હતી. આ કળશ શહેરભરના મદિરોમા ભક્તોના દર્શનાથે મૂકવામા આવશે તેવુ અહીંના પૂજારી દ્વારા જણાવાયુ હતુ.
આ મદિરમા રામ નવમી, તુલસી વિવાહ, શિવરાત્રી, કૃષ્ણ જન્મોત્સવ સહિતના ધાર્મિક પ્રસગોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામા આવે છે. જ્યારે ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી નવરાત્રીનુ પણ ભવ્ય આયોજન કરવામા આવે છે. જેમા ૫ થી ૧૨ વર્ષની દીકરીઓ માતાજીની આરાધના કરે છે અને ગરબે ઘુમે છે.
મદિર નિર્માણ પામ્યુ ત્યા સુધી એસટીના એક કર્મચારીએ ભગવા કપડા ધારણ કરીને ફર્યા: માલિકીની જમીન ખરીદી ૪૪૮ વાર
જગ્યામા બન્યુ છે નશ્રી રામ મદિરસ્ત્ર
રામ મદિરના લોકાર્પણ પ્રસગે રામ નગરમા ઘરે ઘરે રગોળી કરાશે
અયોધ્યામા શ્રી રામનુ ભવ્ય મદિર બનવા જઈ રહ્યુ છે ત્યારે તેનુ લોકાર્પણ આગામી તા.૨૨ જાન્યુઆરી થવાનુ છે ત્યારે રાજકોટના આ રામ મદિરમા પણ તેની ભવ્ય ઉજવણી કરવામા આવશે. જેના ભાગરૂપે રામ નગર અને આખા વિસ્તારમા ઘરે ઘરે રગોળી કરવામા આવશે અને દીવા પ્રગટાવવામા આવશે. આ ઉપરાત મદિરમા ૧૦૦૮ દિવાની આરતી કરવામા આવશે. જ્યારે પ્રમુખ શાસ્ત્રીઓ દ્વારા રામ જન્મની ચોપાઈ ગાઈને ૧૧ કુડી યજ્ઞ કરવામા આવશે. તેવુ ટ્રસ્ટના મેનેજિગ ટ્રસ્ટી વસતભાઇએ જણાવ્યુ હતુ.
મદિરમા આવતી દાન-દક્ષિણા સમાજના લોકો માટે જ વપરાય છે
આ મદિરમા જે પણ દાન દક્ષિણા આવે છે તે સમાજના લોકો માટે જ વાપરવામા આવે છે. મદિરની બાજુમા જ ટ્રસ્ટ દ્વારા રાહતદારનુ દવાખાનુ શરૂ કરવામા આવ્યુ છે. જ્યા લોકોને માત્ર રૂ.૧૦મા સારવાર અને દવા મળે છે. અહી હોમિયોપેથી, એલોપેથી અને આયુર્વેદિક સારવાર કરવામા આવે છે. જ્યારે રોજના ૧૫ થી ૨૦ દર્દી તેનો લાભ લે છે. આ ઉપરાત મદિરમા આવેલા પ્રાથના હૉલમા દરરોજ સવારે યોગ ક્લાસ પણ ચાલે છે.