પોરબંદર-દાદર ટ્રેનમાં આજથી વધારાના 4 કોચ લાગશે
મુસાફરોના ઘસારાને ધ્યાને લઈ રેલવે વિભાગે લીધેલો નિર્ણય
વોઇસ ઓફ ડે રાજકોટ
મુસાફરોની સુવિધા માટે પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં 04 વધારાના કોચ કાયમી ધોરણે લગાડવવામાં આવશે. મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન (19016/19015)માં કાયમી ધોરણે એક સેક્ધડ એસી, એક થર્ડ એસી અને બે સેક્ધડ સ્લીપર ક્લાસના વધારાના કોચ લગાવશે. ટ્રેન નંબર 19016/19015 પોરબંદર-દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માં પોરબંદર સ્ટેશનથી આજથી અને દાદર સ્ટેશનથી 03.12.2023 થી ઉપરોક્ત તમામ વધારાના કોચ લગાડવામાં આવશે.આ ટ્રેનનાં રૂટમાં મુસાફરોનો મોટી સંખ્યામાં ઘસારો રહેતો હોય મુસાફરોની માંગણી ધ્યાને લઈ રેલવે તંત્રએ ચાર વધારાના કોચ જોડવાનો નિર્ણય લેતા મુસાફરોની સુવિધામાં વધારો થયો છે.