Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

શું છે રણજીતસિંહ હત્યાકાંડ ?? 22 વર્ષ પહેલાના કેસમાં રામ રહીમ નિર્દોષ જાહેર

Tue, May 28 2024


બહુચર્ચિત રણજીત સિંહ હત્યા કેસમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રામ રહીમને મોટી રાહત આપી છે. બાબા રામ રહીમ સહિત પાંચ આરોપીઓને રણજીતસિંહ હત્યા કેસમાં હાઇકોર્ટે છોડી મૂક્યા છે. આ કેસમાં સીબીઆઈ કોર્ટે રામ રહીમને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. રામ રહીમે આજીવન કેદની સજા સામે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી ત્યારે મંગળવારે (૨૮ મેના રોજ ) તેમની અપીલ પર ચુકાદો આપતાં હાઈકોર્ટે CBI કોર્ટના નિર્ણયને રદ કરી દીધો છે અને રામ રહીમ સહિત પાંચ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.


કોણ છે રણજીત સિંહ ?

હરિયાણાના કુરુક્ષેત્રના રહેવાસી રણજીત સિંહ સિરસા ડેરાનો મેનેજર હતા. રણજીત સિંહની 22 વર્ષ પહેલા શંકાના કારણે 10 જુલાઈ 2002ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એક ગુમનામ સાધ્વીએ પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીને પત્ર લખ્યો હતો અને પત્રમાં રામ રહીમની તપાસની માંગ કરવામાં આવી હતી.  ડેરા મેનેજમેન્ટને શંકા હતી કે રણજિત સિંહે સાધ્વીના યૌન શોષણની ચિઠ્ઠી પોતાની બહેન પાસે લખાવી હતી.

આ એ જ અનામી પત્ર છે જે સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિએ તેમના સાંજના અખબાર ‘પુરા સચ’માં પ્રકાશિત કર્યો હતો. જેના કારણે 24 ઓક્ટોબર 2002ના રોજ પત્રકાર રામચંદ્ર છત્રપતિ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમની ગોળી મારવામાં આવી હતી. રામચંદ્રનું 21 નવેમ્બર 2002ના રોજ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં અવસાન થયું હતું.

રણજીત સિંહ હત્યા કેસની 2003માં તપાસ CBIને સોંપવામાં આવી હતી

પોલીસ તપાસથી અસંતુષ્ટ રણજીત સિંહના પુત્ર જગસીર સિંહે જાન્યુઆરી 2003માં હાઈકોર્ટમાં અરજી કરીને સીબીઆઈ તપાસની માંગ કરી હતી. હાઈકોર્ટે પુત્રની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી. આ કેસની તપાસ કરતી વખતે સીબીઆઈએ રામ રહીમ સહિત પાંચ લોકો સામે કેસ નોંધ્યો હતો. 2007માં કોર્ટે આરોપીઓ સામે આરોપો ઘડ્યા હતા. જોકે, શરૂઆતમાં ડેરામુખીનું નામ આ કેસમાં નહોતું, પરંતુ 2003માં સીબીઆઈને તપાસ સોંપવામાં આવ્યા બાદ 2006માં રામ રહીમના ડ્રાઈવર ખટ્ટા સિંહના નિવેદનના આધારે આ હત્યા કેસમાં ડેરામુખીનું નામ સામેલ હતું. .

2021માં સીબીઆઈ કોર્ટે ગુરમીત રામ રહીમ સહિત પાંચ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. સાધ્વી યૌન શોષણ કેસમાં રામ રહીમ સિંહને 20 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી.  તમને જણાવી દઈએ કે ગુરમીત રામ રહીમ પોતાની બે વિદ્યાર્થીનીઓ પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની જેલની સજા કાપી રહ્યો છે. ત્યારે આજે (28 MAY) રામ રહીમને હાઈકોર્ટ તરફથી મળી મોટી રાહત, રણજીત સિંહ હત્યા કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.

Tags:

ChandigarhGurmeet Ram RahimhighcourtRanjit Singh Murder Case

Share Article

Other Articles

Previous

ઈન્ડીગો ફ્લાઈટના ટોઈલેટના ટિશ્યુ પેપરમાં લખેલા આ ‘ત્રણ શબ્દો’એ મચાવી અફરાતફરી  

Next

1 જૂનથી લાગુ થશે આ 5 મોટા ફેરફારો : જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ક્રિકેટર રીન્કુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજે કરી સગાઈ : જાણો કપલમાંથી કોણ છે વધુ અમિર? કેટલી છે સંપતિ
14 કલાક પહેલા
સુરતમાં મોડલનો ગળાફાંસો ખાઈ આપઘાત : અંતિમ રિલમાં લખ્યું આજે તે અહેસાસ કરાવી દીધો કે…!! વાંચો સમગ્ર ઘટના
15 કલાક પહેલા
India A vs England Lions : ભારતની પ્લેઇંગ ઇલેવનમાં ક્યા 4 ખેલાડીને મળશે તક, જાણો સંભવિત પ્લેઇંગ-11
15 કલાક પહેલા
રાજકોટમાં બંગાળી શેઠની બર્બરતા : બાળમજૂરની પૂંઠે સળીયો ખોસતા મૂત્ર માર્ગ થયો બંધ, સિવિલમાં સારવાર હેઠળ
15 કલાક પહેલા
Categories

નેશનલ

2167 Posts

Related Posts

ભારતની સમુદ્રી તાકાતને બેવડી કરતા નવા આયુધો!
નેશનલ
2 વર્ષ પહેલા
કાશ્મીરના રામબનમાં વાદળ ફાટતાં વરસાદે મચાવી તબાહી : અનેક ગુજરાતીઓ ફસાયા, રસ્તાઓ બ્લોક
ગુજરાત
2 મહિના પહેલા
ટ્રમ્પને અભિનંદન નહી આપે વ્લાદિમીર પુતિન : રશિયા સરકારે કહ્યું, કામ જોયા પછી નક્કી કરશુ
Breaking
7 મહિના પહેલા
શેરબજારમાં કારોબારી સપ્તાહના પ્રારંભે જ કડાકો: સેન્સેક્સ 721 અને નિફ્ટી 211પોઈન્ટ તૂટ્યો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર