લાલ કિલ્લાની સુરક્ષા અભેદ્ય: જંતર-મંતરની હિંસા પછી પોલીસ વધુ સતર્ક
20,000 જવાનો અને હાઇ-ટેક સિસ્ટમની ચોવીસે કલાક તૈનાતી
નવી દિલ્હી: આગામી ૧૫ ઓગસ્ટને શનિવારે વડાપ્રધાન લાલકિલ્લા ઉપરથી દેશને સંબોધન કરવાના છે અને તેને લઈને સુરક્ષા વ્યવસ્થાને અભૂતપૂર્વ અને અત્યંત હાઇ-ટેક સ્તર સુધી અપગ્રેડ કરવામાં આવી છે. દિલ્હીના જંતર-મંતર પર તાજેતરમાં થયેલી હિંસા તેમજ અગાઉ લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારને આયર્ન-ક્લેડ સુરક્ષા કવચથી ઘેરી લીધો છે.
લાલ કિલ્લા અને તેની આસપાસના સંવેદનશીલ વિસ્તારોની રક્ષા માટે દિલ્હી પોલીસ, અર્ધલશ્કરી દળો, નેશનલ સિક્યુરિટી ગાર્ડ , NDRF અને વિશિષ્ટ ગુપ્તચર એજન્સીઓના આશરે 15,000 થી 20,000 કર્મચારીઓ ચોવીસે કલાક તૈનાત રહેશે. આ સિવાય, કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે ક્વિક રિસ્પોન્સ ટીમ્સ , સ્નાઈપર્સ, હાઈ-ટેક ‘હિટ ટીમ્સ’ અને વ્યૂહાત્મક વોચટાવરનું સંચાલન કરતા સ્પેશિયલ કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: તમિલ ગૌરવ પર કોઈ સમાધાન નહીં: સરકારી કાર્યક્રમોમાં ‘તમિલ થાઈ વાઝ્થુ’ ફરજિયાત
સુરક્ષા દળો દ્વારા સ્થળની નજીકથી દેખરેખ રાખવા માટે અદ્યતન ડિજિટલ સર્વેલન્સનો આશરો લેવામાં આવ્યો છે:1,000થી વધુ સીસીટીવી કેમેરા, ડ્રોન ડિટેક્શન સિસ્ટમ્સ અને ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજી સ્થાપિત કરવામાં આવી છે. ભીડ પર નિયંત્રણ રાખવા માટે હેડકાઉન્ટ કેમેરા અને 200થી વધુ બોડી-વોર્ન કેમેરાથી જવાનોને સજ્જ કરાયા છે.પાર્કિંગ વિસ્તારોમાં વાહનોની નીચે વિસ્ફોટકો કે ગેરકાયદેસર શસ્ત્રો ચકાસવા માટે અંડર-વ્હીકલ સર્વેલન્સ સિસ્ટમ્સ કાર્યરત કરાઈ છે.
દિલ્હી પોલીસ કમિશનર અનુરાગ કુમારે આદેશ જાહેર કરીને 16 ઓગસ્ટ સુધી દિલ્હીના આકાશમાં પેરાગ્લાઈડર્સ, ડ્રોન, હેંગ-ગ્લાઈડર્સ, યુએવી અને હોટ એર બલૂન જેવા હવાઈ સાધનોના ઉડ્ડયન પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. સાથોસાથ, સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવતા કે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે સાયબર સેલની ખાસ ટીમો ચોવીસે કલાક ડિજિટલ મોનિટરિંગ કરી રહી છે.
