મોદી એક ખૂની, અપરાધીના ગળે લાગ્યા તે દુખદ છે : ઝેલેન્સકી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાતે છે અને એમને આવકાર આપવા રશિયાના પ્રમુખ પુતિને મોદીને હર્ષથી ગળે લગાવી લીધા હતા અને ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારે આ દ્રશ્ય જોઈને યુક્રેનના પ્રમુખે ભારે કડવી અને તીખી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે વડાપ્રધાન મોદી એક ખૂની અને અપરાધીના ગળે લાગ્યા છે.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ આ બંને નેતાઓની મુલાકાત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. એમણે વધુમાં કહ્યું હતું કે આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે રશિયાના હુમલામાં 40 લોકોના મોત થયા છે. આ હુમલામાં કેન્સરના દર્દીઓને પણ છોડવામાં આવ્યા નથી. બાળકોની હોસ્પિટલ પર હુમલો કરાયો છે.
સોશિયલ મીડિયા પર ઝેલેન્સકીએ લખ્યું હતું કે રશિયા યુક્રેન પર સતત હુમલા કરી રહ્યું છે એવા સમયે દુનિયાના સૌથી મોટા લોકતંત્રના વડાપ્રધાન એક ખૂની, અપરાધીને ગળે મળે છે તે વાત દુખદ છે. શાંતિ માટે થઈ રહેલા પ્રયાસ માટે આ વિનાશકારી ઘટના છે.