નેપાળ ધ્રુજ્યું6.4 ની તીવ્રતાનો ભૂકંપ132 મોત સેકડો ઘાયલ
મોદીએ સંવેદના વ્યક્ત કરી તમામ મદદ કરવાની ખાતરી આપી
શુક્રવારે રાત્રે નેપાળમાં આવેલા 6.4 ની તીવ્રતાના ભૂકંપે દૂરના પર્વતીય વિસ્તારમાં આવેલા જાજરકોટ અને પશ્ચિમ રુકુમ જિલ્લાઓમાં વિનાશ કર્યો હતો. સેકડો મકાનો પડી જતા 132 લોકોના મૃત્યુ થયા હતા જ્યારે 154 થી વધારે લોકો ને ઈજા પહોંચી હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ જાજરકોટના લાંબીદાંડા ગામમાં ભૂગર્ભમાં 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું.
રાત્રે 11.47 વાગ્યે આ વિસ્તારોમાં 40 સેકન્ડ સુધી ધરા ધ્રુજતા અનેક મકાનો પોતાના મહેલની જેમ ધરાશય થઈ ગયા હતા. રાત્રિના અંધકારમાં કાટમાળ હેઠળ થી લોકોને બહાર કાઢવામાં આવતા હોય તેવા દ્રશ્યો વાયરલ થયા હતા. નેપાળ સરકારના પ્રવક્તા ના જણાવ્યા અનુસાર આ દૂરના વિસ્તાર સુધી પહોંચતા રસ્તાઓ બ્લોક થઈ જતા તથા અનેક માર્ગોને નુકસાન થતાં બચાવ કાર્ય મુશ્કેલ બન્યું હતું. સરકારે વાયુસેનાના તમામ હેલિકોપ્ટરને સ્ટેન્ડ ટુ રાખવાનો આદેશ કર્યો હતો. મોડે સુધી દૂરના અનેક સ્થળો સુધી બચાવ ટુકડીઓ પહોંચી ન શકતા મૃત્યુ આંક વધવાનો ભય સેવાઈ રહ્યો છે.
11 47 વાગ્યે આવેલા આ ભૂકંપ બાદ 12.08 મિનિટે 4.2 ની તીવ્રતાનો, 12.29 મિનિટે 4.3 , 12.5 મિનિટે 4.6 અને વહેલી સવારે 4.06 મિનિટે ૪.૧૬ ની તીવ્રતાના વધુ ચાર આંચકા આવતા લોકો ફફડી ઉઠ્યા હતા. મોડી રાત્રે બચાવ ટુકડીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી હતી.ભારતના વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ નેપાળમાં આવેલા ભૂકંપના પીળી તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી આ કુદરતી આપત્તિ અને સંકટના સમયે ભારત નેપાળની પડખે ઊભો હોવાની અને બનતી તમામ મદદ કરવાની ખાતરી આપી હતી
2015માં 9000 લોકો માર્યા ગયા હતા
ભારતીય અને યુરેસિયન ટેકટોનિક પ્લેટના મીટીંગ પોઈન્ટ પર આવેલું નેપાળને ભૂકંપની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાવાયુ છે. નેપાળમાં 2015માં આવેલા 7.8 ની તીવ્રતાના મહાવિનાશક ભૂકંપમાં 9000 લોકો ના મૃત્યુ થયા હતા. અનેક ગામડાઓ પૃથ્વીના પટ ઉપરથી ભૂંસાઈ ગયા હતા. 10 લાખ મકાનો અને 8000 શાળાઓ ધરાશયી થઈ ગઈ હતી. આ વર્ષે પણ બીજી ઓક્ટોબરે 6.2 અને 4.6 ની તીવ્રતાના બે ભૂકંપ તથા 22મી ઓક્ટોબરે 6.1 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
દિલ્હી બિહારમાં પણ આંચકા અનુભવાયા
નેપાળમાં આવેલા ભૂકંપને કારણે ભારતમાં પણ અનેક સ્થળે ધરા ધ્રુજી હતી. દિલ્હી તેમજ બિહારના પટના, કઠીવાર, પૂર્વ અને પશ્ચિમ ચંપારણ, દરભંગા,મુઝફરપુર, સસારામ,નવાડા તેમજ નેપાળની સરહદ પાસે આવેલા અનેક વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. દિલ્હીમાં લોકો રસ્તા પર આવી ગયા હતા.બિહારમાં પણ ભારે ભયની લાગણી ફેલાઈ હતી અને મોડી રાત સુધી લોકો રસ્તાઓ પર રહ્યા હતા.
હિમાલય ઉપર વિનાશક ભૂકંપનો તોળાતો ખતરો
આશરે 40-50 મિલિયન વર્ષો પહેલા જ્યારે ભારતીય પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે અથડાઇ ત્યારે હિમાલયની રચના થઈ હતી.વૈજ્ઞાનિકોના મતે ભારતીય પ્લેટ ઉત્તર તરફ આગળ વધી અને યુરેશિયન પ્લેટ સાથે સંઘર્ષ સર્જી રહી હોવાને કારણે હિમાલય ઉપરનું દબાણ વધી રહ્યું છે.અને એ દબાણ આઠ થી વધુ તીવ્રતાના શ્રેણીબદ્ધ ભૂકંપો દ્વારા મુક્ત થઈ શકે છે.