Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
હેલ્થ

દિવાળી પછીની સુસ્તી ભગાડો, ફીટ રહો

Tue, November 21 2023

તહેવારોમાં ઘૂઘરા અને ચેવડા ઉપરાંત જાત જાતની મીઠાઈ ખાધા પછી સુસ્તી આવી જતી હોય છે

દિવાળીના તહેવારો આમ તો પુરા થઇ ગયા છે અને જનજીવન લાંબી રજા બાદ પૂર્વવત થઇ ગયું છે પણ ઘણા લોકો હજુ ફરિયાદ કરે છે કે સુસ્તી જતી નથી. ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે આરામ વધુ કર્યો તેનો થાક અને સુસ્તી લાગે છે પણ હકીકત એ છે કે આ દિવસોમાં જાત જાતની વાનગી અને ભાત ભાતના નાસ્તા ખાધા પછી શરીરમાં આવી સુસ્તી આવવી સ્વભાવીક છે.

દિવાળીની ઉજવણીમાં આપણે બધા ઓછા આરોગ્યપ્રદ ખોરાક જેમ કે સ્વીટ, તેલયુક્ત અને ઘી, તળેલું, સ્ટ્રીટ ફૂડનો આપણે ખાઈએ છીએ. આ દરમિયાન, કસરત અને રજાઓને કારણે કામ પણ બંધ છે. આ બધી વસ્તુઓ આપણા શરીર પર, આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. તેથી જો તમે તહેવારો પૂરા થયા પછી તમારા સ્વાસ્થ્યને ટ્રેક પર લાવવા માંગતા હો, તો તમારે કેટલાક ડિટોક્સ પ્લાનને અનુસરવું જરૂરી છે. ચાલો જોઈએ કે તહેવાર પછી આપણે આપણા સ્વાસ્થ્યની સાદી અને સરળ રીતે કેવી રીતે કાળજી રાખી શકીએ,

આ સાત હેલ્ધી ફૂડ્સનું સેવન

  1. શાકભાજી સલાડ

કાકડી, ટામેટા, બ્રોકોલી, ડુંગળી અને ગાજર જેવા શાકભાજીનો સમાવેશ થતો સલાડ ખાવાથી તમારા શરીરમાંથી બિનજરૂરી તત્વોને બહાર કાઢવામાં મદદ મળી શકે છે. આ કચુંબરમાંથી તમને પુષ્કળ ફાઇબર, ઉપયોગી ખનિજો અને વિટામિન્સ મળે છે. તમે આ સલાડ પર સાદા મીઠાને બદલે કાળું મીઠું વાપરી શકો છો.

2.દહીં
દહીંમાં રહેલા સ્વસ્થ બેક્ટેરિયા પેટની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. ચાર-પાંચ દિવસમાં આપણે સ્વીટ તેલયુક્ત ખોરાક ખાઈએ છીએ; તેનાથી પેટ ખરાબ થઈ શકે છે. તેથી, દહીં ખાવું એ પેટની મિકેનિઝમને નિયંત્રિત કરવા માટે ફાયદાકારક હોઈ શકે છે. પિત્તથી પીડિત લોકો મીઠા દહીંનું સેવન કરી શકે છે.

3.ગ્રીન ટી

તમે દરરોજ ખાંડવાળી ચાને બદલે ગ્રીન ટી પી શકો છો. ગ્રીન ટી કેટેચીન્સ નામના એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે, જે શરીરમાંથી બિનજરૂરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. પરિણામે તમારું સ્વાસ્થ્ય સારું રહે છે.

4.ફળો
લીંબુ અને નારંગી જેવા ફળોમાં વિટામિન સી સૌથી વધુ હોય છે. આવા ફળોનું સેવન શરીરમાંથી બિનજરૂરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. આ સાથે દાડમ, બેરી, અને દ્રાક્ષમાં ફાયટોકેમિકલ્સ નામના એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે કિડનીને શરીરમાંથી હાનિકારક તત્ત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.

5.હળદર
હળદરમાં બળતરા વિરોધી અને શરીરને ડિટોક્સિફાય કરવાના ગુણ હોય છે, તેથી તે શરીરને ફાયદો કરે છે. તેથી, ખોરાકમાં હળદર ઉમેરવાથી અથવા હળદર સાથે ગરમ પાણી પીવાથી શરીરમાંથી બિનજરૂરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ મળી શકે છે.

  1. લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન

તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરો. પાલક, મેથી, બ્રોકોલી જેવા પાંદડાવાળા શાકભાજી એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબરથી ભરપૂર હોય છે. આ શાકભાજીનું સેવન કરવાથી પાચનશક્તિ સુધરે છે અને શરીરમાંથી અનિચ્છનીય પદાર્થોને બહાર કાઢવામાં મદદ મળે છે.

7.પાણી
શરીર અને પેટના સ્વાસ્થ્યને સુધારવા માટે પાણી ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ છે. દિવાળી કે કોઈપણ તહેવારમાં આપણે જે ખોરાક ખાઈએ છીએ તે આપણા પેટમાં પિત્તનું પ્રમાણ વધારે છે. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાથી પિત્તાની સમસ્યાઓ ઓછી કરીને શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ મળે છે. આ સાથે, તે કિડનીના કાર્યને સરળ બનાવીને શરીરને હાનિકારક પદાર્થોથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તેથી પુષ્કળ પાણી પીવું પણ સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

તહેવાર પછી કબજિયાતની સમસ્યાથી પરેશાન છો ?

તહેવારોની સિઝનમાં આપણી ખાવાની આદતો, આપણી જીવનશૈલી બધું જ બગડી જાય છે. આ દિવસોમાં આપણે મીઠાઈ અને અન્ય મસાલેદાર વસ્તુઓ ખાઈએ છીએ અને તેની સીધી અસર આપણી પાચન ક્રિયા પર પડે છે. જે લોકોની પાચન ક્રિયા બરાબર નથી હોતી તેમના માટે આ સમસ્યા બની જાય છે. ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓ વધવા લાગે છે.

તહેવારો દરમિયાન તળેલા ખોરાક, ઠંડા પીણા, મીઠાઈઓ વગેરેના સેવનથી ઘણી વખત શરીરમાં ડીહાઈડ્રેશન થાય છે. ડિહાઈડ્રેશનને કારણે મળ પસાર કરવામાં તકલીફ થાય છે, આવી સ્થિતિમાં તમારે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. ઘન ખોરાક કરતાં પ્રવાહીને પ્રાધાન્ય આપો.

કેફીનને નિયંત્રિત રાખો
જો તમે ચા કે કોફીના વ્યસની છો, તો તેના પર થોડો નિયંત્રણ રાખો, કારણ કે વધુ પડતા કેફીનનું સેવન શરીરને ડીહાઇડ્રેટ કરી શકે છે અને કબજિયાતની સમસ્યા પણ વધારે છે. તમે જેટલી ઓછી ચા કે કોફીનું સેવન કરશો, તે તમારા પાચન માટે સારું રહેશે.

પ્રોબાયોટિકનું સેવન
તમારા આહારમાં દહીં અને છાશ જેવા પ્રોબાયોટીક્સનું સેવન કરવાની ખાતરી કરો. તેનાથી પેટમાં સારા બેક્ટેરિયાનું સંતુલન જળવાઈ રહેશે અને કબજિયાતની સમસ્યામાં રાહત મળશે.

ફાઇબરથી ભરપૂર ખોરાક
ફાઈબરયુક્ત ખોરાકનું સેવન કરો, જેમ કે તમારા આહારમાં સફરજન, નારંગી, પપૈયા, ગાજર, ઓટ્સ, ચણા જેવા ખોરાક લો. ઉચ્ચ ફાઇબરવાળા ખોરાક લેવાથી આંતરડા સ્વસ્થ રહે છે.

Share Article

Other Articles

Previous

ડાયાબિટીસના દર્દીઓને ઈજા થાય તો સાવધાની રાખવાથી જલ્દીથી રુઝ આવશે

Next

ઉત્તરકાશી: ટનલમાં ફસાયેલા મજૂરોને શું મળી રાહત ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 સપ્તાહ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
શું વધુ એક દુર્ઘટનાની જોવાતી હતી રાહ!? રાજકોટના કેસરી હિન્દ પુલનું આયુષ્ય એક દસકા પહેલા જ પૂર્ણ, છતાં તંત્ર નિંદ્રાધીન
9 કલાક પહેલા
Tesla India Entry : ભારતમાં આ દિવસે ખુલશે ટેસ્લાનો પહેલો શોરૂમ, જાણો કઈ કાર થશે લોન્ચ,શું છે તેની કિંમત?
9 કલાક પહેલા
હત્યારો પિતા : મેણાના માર સહન ન થતાં એકની એક દીકરીની ગોળી ધરબી કરી હત્યા, ટેનિસ પ્લેયરના હત્યાનું રહસ્ય વધુ ઘેરું બન્યું  
10 કલાક પહેલા
PM મોદીએ બનાવ્યો નવો રેકોર્ડ : 27 દેશોના સર્વોચ્ચ સન્માન મેળવ્યા, વિદેશી સંસદોમા 17 ભાષણ આપી ઇન્દિરા ગાંધી, નહેરુથી નીકળ્યા આગળ
11 કલાક પહેલા
Categories

નેશનલ

2250 Posts

Related Posts

રાજકોટ શહેર પોલીસ અને મહાપાલિકાની નિંભરતા સામે લોકોએ ઠાલવ્યો બળાપો, પોલીસે લાઠીચાર્જ કરીને લોકોને વિખેરવા પ્રયાસ કર્યો , ટ્રાફિક પોલીસ તહેનાત હોય છે છતાં બસો માતેલા સાંઢની માફ્ક દોડતી રહે છે નો રોષ
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
રુદ્રપ્રયાગ- બદ્રીનાથ હાઇવે પર સર્જાઈ ગંભીર દુર્ઘટના, અલક નંદા નદીમાં બસ ખાબકતા 9 લોકો લાપતા, 2 ના મોત
બ્રેકિંગ ન્યૂઝ
2 સપ્તાહs પહેલા
પાપા, મેરી જાન..કાશ,પ્લેન ક્રેશ ન થયું હોત તો રાધિકા રૂપાણીએ પિતા વિજય રૂપની સાથે ‘ફાધર્સ ડે’ સેલિબ્રેટ કર્યો હોત!
ગુજરાત
4 સપ્તાહs પહેલા
બિગ-બી બનાવશે અયોધ્યામાં ઘર
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર