ભોજપુરી સ્ટાર પવન સિંહની ભાજપે પક્ષમાંથી કરી હકાલપટ્ટી
બિહારની કારાકાટ લોકસભા બેઠકથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ભોજપુરી સ્ટાર પવન સિંહની ભાજપે પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી દીધી હતી. વડાપ્રધાન મોદીની કારાકાટમાં એનડીએ ઉમેદવાર રાષ્ટ્રીય લોક મોર્ચાના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાના સમર્થનમાં જાહેર સભા પહેલા જ ભાજપે આ મોટી કાર્યવાહી કરી હતી.
બિહારના ભાજપ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીના નિર્દેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભાજપમાં બળવો પોકારી પવન સિંહે કારાકાટથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી જેનાથી એનડીએ ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહાની મુશ્કેલી વધી ગઈ હતી.