અચાનક મોત માટે જવાબદાર કોણ છે ? નિષ્ણાતોએ બતાવ્યા કારણ .. જુઓ
દેશમાં યુવકોના અચાનક મૃત્યુ થઈ રહ્યા છે અને આવી ઘટનાઓ હવે વધી રહી છે ત્યારે કોરોનવીરોધી વેક્સિનને દોષ આપવામાં આવી રહ્યો છે ત્યારે નિષ્ણાતોની પેનલ આઇસીએ આર દ્વારા એક નવો અહેવાલ જારી થયો છે જેમાં એવો ઉલ્લેખ છે કે વધુ પડતો દારૂ પીવાથી અચાનક મૃત્યુ થાય છે.
પેનલે એવી ચોખવટ પણ કરી છે કે વેક્સિનને લીધે મૃત્યુ થતાં નથી અને તે વાત અને અનુમાન સદંતર પાયાવિહોણા છે. સાથોસાથ અચાનક મૃત્યુની ઘટનાથી બચવા માટે કેટલાક ઊપાય પણ બતાવ્યા છે. અમારા નિષ્ણાતોએ અભ્યાસ કર્યો છે અને તેમાં એવું બહાર આવ્યું છે કે વેક્સિનને લીધે અચાનક મૃત્યુ થયા નથી.
અચાનક મોત થવા પાછળ અનેક કારણો જવાબદાર નીકળ્યા છે. જેમ કે પરિવારમાં અચાનક મોતનો ઇતિહાસ, કોરોના સંક્રમણમાં હોસ્પિટલમાં દાખલ થવું, તેમજ વધુ પડતો દારૂ પીવો વગેરે. એ જ રીતે પ્રતિબંધિત દવાઓનું સેવન કરવાથી પણ અચાનક મોત થઈ શકે છે. દારૂ પીવો તે લાઈફ સ્ટાઈલ સાથે જોડાયેલી સમસ્યા છે.
પાછળ દિવસોમાં દોડતી વખતે, જિમીગ કરતી વખતે અને લગ્નમાં ડાન્સ કરતી વખતે યુવકો હાર્ટ એટેક્નો શિકાર થઈ ગયા હતા. ગરબા કરતી વખતે પણ મૃત્યુ નોંધાયા હતા. નિષ્ણાતોએ એમ કહ્યું હતું કે દારૂ વધુ પીવાથી અને પ્રતિબંધિત દવા લેવાથી બચવું જોઈએ. દારૂનો ઊપયોગ અને વ્યસન અત્યારે વધી ગયા છે અને યુવકો મોટી સંખ્યામાં તેનો શિકાર થઈ રહ્યા છે.