એક સાથે 15 આરોપીઓને ક્યાં મળી મોતની સજા ?
- ક્યા રાજ્યમાં સજા અપાઈ ?
કેરળની એક સ્થાનિક અદાલતે આરએસએસ નેતા રણજીત શ્રીનિવાસની હત્યા કેસમાં કટ્ટરવાદી સંસ્થા પીફઆઈના 15 કાર્યકરોને ફાંસીની સજા સંભળાવી હતી. .આ તમામ આરોપીઓને વકીલ અને આરએસએસ નેતાની હત્યામાં કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. રણજીતની 19 ડિસેમ્બર, 2021ના રોજ અલપ્પુઝામાં તેના ઘરે હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ પ્રતિબંધિત સંગઠન પીએફઆઈના સભ્યો હતા.
રણજીત શ્રીનિવાસની હત્યા કેસમાં માવેલીકારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે મંગળવારે તમામ 15 દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી. કોર્ટે 8 આરોપીઓને આ હત્યામાં સીધા સંડોવાયેલા હોવાનો નિર્ણય કરતા આ 8 આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા), 149 (ગેરકાયદેસર રીતે સભા), 449 (મૃત્યુની સજાને પાત્ર ગુનામાં ઘરની ઉપેક્ષા), 506 (ગુનાહિત ધાકધમકી) અને 341 (ગુનાહિત દુષ્કર્મ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. હત્યાના સમયે, 9 આરોપીઓ હથિયારોથી સજ્જ હતા અને રણજીત સિંહના ઘરની બહાર ચોકી કરતા હતા.
કોર્ટે આરએસએસ નેતાની હત્યામાં નઈસમ, અજમલ, અનૂપ, મોહમ્મદ અસલમ, અબ્દુલ કલામ ઉર્ફે સલામ, અબ્દુલ કલામ, સફરુદ્દીન, મંશાદ, જસીબ રાજા, નવાસ, સમીર, નઝીર, ઝાકિર હુસૈન, શાજી પૂવાથુંગલ અને શેરનુસ અશરફને દોષી ઠેરવ્યા હતા. એમને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી.
શ્રીનિવાસ ભાજપના કેરળ ઓબીસી મોરચાના રાજ્ય સચિવ હતા. રાજનીતિમાં સક્રિય રહેવા સાથે તેઓ વકીલ પણ હતા. 2021 માં 19 મી ડિસેમ્બરે આરોપીઓ ધરાર એમના ઘરમાં ઘૂસી ગયા હતા અને ગળું કાપીને એમની હત્યા કરી હતી.